ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનની કડક સુરક્ષા બનાવી છે. અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ના ભયાનક અકસ્માત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025ના મધ્યરાત્રિ (12 વાગ્યાથી) ભારતથી રવાના થતી ફ્લાઇટ્સ પહેલાં ફરજિયાતપણે ખાસ સ્ક્રીનીંગ પ્રક્રિયા લાગુ કરવાના આદેશ આપ્યા છે.
DGCAએ ફ્લાઇટ ઉડાન પહેલાં ઘણી મહત્વપૂર્ણ ટેકનિકલ તપાસનો નિર્દેશ આપ્યો છે. જેમાં ફ્યુઅલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ એક્ટ્યુએટર ઓપરેશન, ઓઇલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમની સર્વિસનો સમાવેશ થાય છે. આ સાથે, ટેકઓફ કરતા પહેલા પેરામીટર્સની યોગ્ય સમીક્ષા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.






