Home International Delhi Thar Car Crushed And Killed Man In Chanakyapuri Near Rashtrapati Bhawan

રાજધાનીમાં થાર ચાલક બેફામ : એકનો લેવાયો ભોગ, ડ્રાઈવર ઉંઘમાં હતો કે નશામાં?

રાજધાનીમાં થાર ચાલક બેફામ
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 07:17 AM IST

વિવારે (10 ઑગસ્ટ) સવારે ચાણક્યપુરીના પોશ વિસ્તારમાં, રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિમી દૂર, પૂરપાટ ઝડપે આવતી થાર કારે બે લોકોને ટક્કર મારી. ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું, જ્યારે બીજાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

પોલીસે જણાવ્યું કે આ થારના આગળના વ્હીલ ટક્કર બાદ અલગ થઈ ગયા હતા. સ્થળ પરથી દારૂની બોટલો મળી આવી છે અને ફોરેન્સિક ટીમે વાહનની તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવર કસ્ટડીમાં
26 વર્ષનો આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી જ પકડાયો. તેણે મિત્રની થાર ચલાવી રહ્યો હતો અને ઝોકું આવી જતાં અકસ્માત થયો હોવાનું જણાવ્યું. પોલીસે ડ્રાઇવર દારૂના નશામાં હતો કે નહીં તે તપાસી રહી છે. વાહન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નોંધાયેલું છે અને 1 ઑગસ્ટે વધુ ઝડપ માટે તેનું ₹2,000નું બાકી ચલણ પણ બહાર પડ્યું હતું.

પૂર્વે જોધપુરમાં સમાન ઘટના
6 ઑગસ્ટે જોધપુરના બાલસમંદ વિસ્તારમાં અનિયંત્રિત ડમ્પરે બે મહિલાઓને કચડી નાખી હતી, જેમાં એકનું સ્થળ પર જ મોત થયું અને બીજી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video
નેપાળમાં રાજકીય ભૂકંપ
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત