ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ આજે બદામી બાગ છાવણીની મુલાકાત લીધી અને 15 કોર્પ્સના મુખ્યાલય ખાતે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હાલની સુરક્ષા સ્થિતિનો અંદાજ લીધી. ‘ઓપરેશન સિંદૂર’ પછી તેમનો આ કાશ્મીરનો પ્રહેલો પ્રવાસ હોવાથી મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
યાત્રા દરમિયાન રાજનાથ સિંહ પ્રદેશની તાજી સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને સેનાના ચાલતા ઓપરેશનો તથા સરહદી પડકારો અંગે માહિતી લીધી. તેઓ આજે મોડી રાત્રે નવી દિલ્હી પાછા ફરશે.
#WATCH | Defence Minister Rajnath Singh arrives in Srinagar, Jammu and Kashmir. J&K Lt Governor Manoj Sinha is also accompanying him. pic.twitter.com/G9pBg3NA6e
— ANI (@ANI) May 15, 2025
#WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh says, "...I ask the entire world if nuclear weapons are safe in the hands of such an irresponsible and rogue nation. I believe that Pakistan's nuclear weapons should be taken under the supervision of International Atomic… pic.twitter.com/7tQA7mbZZI
— ANI (@ANI) May 15, 2025
પાકિસ્તાન સાથેના તણાવને પગલે બંધ કરવામાં આવેલી શાળાઓ હવે ફરીથી શરૂ થવાની છે. જમ્મુના શાળા શિક્ષણ નિયામકે બુધવારે જાહેરાત કરી હતી કે 15 મે, 2025થી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં શાળાઓ ફરીથી ખુલશે. આ સમાચાર સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા છે.
ફરી શરૂ થનારા જિલ્લાઓમાં સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજૌરીના પીરી, કાલાકોટ, થાનમંડી, મોગલા, કોતરંકા, ખવાસ, લોઅર હથલ અને દારહાલ તેમજ પૂંછના સુરનકોટ અને બુફલિયાઝ વિસ્તારોમાં પણ શાળાઓ ખુલશે.
#WATCH | Srinagar, J&K: At Badami Bagh Cantonment, Defence Minister Rajnath Singh says, "I feel proud to be here among you amid such adverse conditions. The entire nation is proud of whatever you all did during #OperationSindoor, under the able leadership and guidance of PM… pic.twitter.com/XRTqfGbz8e
— ANI (@ANI) May 15, 2025
ભારતીય સેના અને સરકાર બંને તરફથી સક્રિય પગલાંના પગલે કાશ્મીર ખીણમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ તરફ ફરી વળવાનો સંકેત મળ્યો છે.





