Gujarat Cabinet Expansion : ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.
નવા મંત્રીઓના શપથગ્રહણ
લાંબી અટકળો વચ્ચે હવે મુખ્યમંત્રીએ રાજ્યપાલને નવા મંત્રીઓના શપથગ્રહણ માટે આમંત્રણ પણ આપ્યું છે. ત્યારે આજે 11 વાગ્યાથી શપથ ગ્રહણ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે. અહેવાલો મુજબ, શપથવિધિ આજે શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા કેબિનેટને નેતૃત્વ આપશે.
ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ
રાજ્યની રાજધાનીમાં આખી રાત રાજકીય હલચલ જોવા મળી હતી. ધારાસભ્ય નિવાસ અને સર્કિટ હાઉસ ખાતે ભાજપના નેતાઓની અવરજવર સતત જોવા મળી હતી. હવે સૌની નજર શુક્રવારની શપથવિધિ અને નવા મંત્રીઓના નામો પર છે.
ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ
રાજ્યની રાજધાનીમાં આખી રાત રાજકીય હલચલ જોવા મળી હતી. ધારાસભ્ય નિવાસ અને સર્કિટ હાઉસ ખાતે ભાજપના નેતાઓની અવરજવર સતત જોવા મળી હતી. હવે સૌની નજર શુક્રવારની શપથવિધિ અને નવા મંત્રીઓના નામો પર છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત
ગાંધીનગરમાં બેઠકમાં જે.પી. નડ્ડા, સુનિલ બંસલ, રત્નાકર પાંડે અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત છે. સૂત્રો મુજબ, ભૂપેન્દ્ર પટેલે નડ્ડા અને બંસલ સાથે વિસ્તૃત ચર્ચા કરી, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, આદિવાસી વિસ્તારો અને મહિલા પ્રતિનિધિત્વ પર ખાસ ભાર મૂકાયો છે.





















