Home Gujarat Chaitar Vasava Took A Dig At The Collector During The Inauguration Of Eklavya Model School In Sagbara

"મને આમંત્રણ કેમ ન આપ્યું..." : સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ દરમિયાન ચૈતર વસાવાએ કલેકટરનો લીધો ઉધડો

"મને આમંત્રણ કેમ ન આપ્યું..."
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 03, 2026, 08:17 AM IST

સાગબારા તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમને આ કાર્યક્રમનું આમંત્રણ કેમ આપવામાં આવ્યું નથી તથા આમંત્રણ કાર્ડમાં તેમનું નામ કેમ નથી ઉમેરાયું.

ચૈતર વસાવાએ સ્ટેજ પર હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે, “હું પણ આ વિસ્તારનો ધારાસભ્ય છું. અમારા વિસ્તારમાં કાર્યક્રમ થાય અને અમને આમંત્રણ ન આપવામાં આવે તે સ્વીકાર્ય નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં થયેલા ખર્ચનો હિસાબ માંગવામાં આવતા હોવાથી જાણબૂઝીને તેમને આમંત્રણ આપવામાં આવતું નથી અને આવું ચલાવી લેવામાં નહીં આવે.

ચૈતર વસાવાના ભાષણ દરમિયાન તેમના સમર્થકો દ્વારા બુમો પાડવામાં આવી હતી, જેના પગલે સ્ટેજ પર બેઠેલા ભાજપના હોદ્દેદારોએ તેમને ભાષણ બંધ કરવા જણાવ્યું હતું. આ સમયે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ સ્ટેજ પર હાજર હતા. મંત્રી નરેશ પટેલે ચૈતર વસાવા પાસે જઈને ભાષણ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જ્યારે ચૈતર વસાવા કલેક્ટર તરફ જોઈને વાત કરી રહ્યા હતા ત્યારે મંત્રી નરેશ પટેલે ઈશારો કરીને તેમને ભાષણ આગળ વધારવા પણ કહ્યું હતું. આ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો જેમાં કોઈ સમર્થકે એમ પણ બૂમ પાડી "બધા ચોર છે".

ચૈતર વસાવા બાદ સાંસદ મનસુખ વસાવા ભાષણ આપવા ઊભા રહ્યા ત્યારે તેમણે સ્ટેજ પરથી ચૈતર વસાવાના સમર્થકોને સંબોધીને કહ્યું હતું કે, “ધારાસભ્ય ચૈતર વસાવા બોલતા હતા ત્યારે અમે સાંભળ્યું હતું, હવે તમારે પણ સાંભળવું પડશે. ન સાંભળવું હોય તો અહીંથી નીકળી જાવ.”

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન નેતાઓ વચ્ચે આમને-સામને બોલાચાલી જોવા મળી હતી, તેમ છતાં કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. સ્ટેજ પરથી ભાજપના હોદ્દેદારો અને ચૈતર વસાવા વચ્ચે પણ વાકયુદ્ધ થયું હતું.

ચૈતર વસાવાએ તેમના ભાષણમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં થયેલા ખર્ચનો મુદ્દો ઉઠાવતા મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થાય તો ખર્ચ તો થાય જ. ડેડીયાપાડાનો કાર્યક્રમ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીનો હતો અને એકતા નગર ખાતે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાયો હતો. આવા કાર્યક્રમોના ખર્ચ માટે વારંવાર હિસાબ માંગવો યોગ્ય નથી.”

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ટેમ્પામાં લઈ જવું અમને પસંદ નહોતું, તેથી બસોની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. ડેડીયાપાડાના કાર્યક્રમમાં માત્ર ભાજપના કાર્યકર્તાઓ નહીં પરંતુ બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે તેવા સમાજના લોકો હાજર રહ્યા હતા.

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “હિસાબ માંગવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ વારંવાર હિસાબ માંગવો એ આદિવાસી સમાજનું અપમાન છે. મને કોઈની ટીકા-ટિપ્પણી કરવાનો રસ નથી, પરંતુ કોઈ અમારા પર ટીકા કરે તો તેનો જવાબ આપવો અને લોકોમાં થતી ગેરસમજ દૂર કરવી અમારી ફરજ છે. કેવડિયા કે ડેડીયાપાડાનો કોઈ પણ કાર્યક્રમ રાજનીતિ માટે બનાવવામાં આવ્યો નથી.”

આ રીતે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજકીય ખેંચતાણ અને નિવેદનબાજી વચ્ચે પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video