કેન્દ્રીય કર્મચારીઓને આશા હતી કે સરકાર હોળી પહેલા તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, પરંતુ સરકારે એવો કોઈ નિર્ણય લીધો નથી. હવે બુધવારે એટલે કે 19 માર્ચે કેન્દ્રીય કેબિનેટની ફરી બેઠક મળશે. કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે સરકાર બેઠકમાં તેમના DA અને DR અંગે નિર્ણય લઈ શકે છે. સંસદ ભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.
વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે DA
એવું માનવામાં આવે છે કે સરકાર એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) વધારી શકે છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે, જેનો અમલ પછીથી નક્કી કરવામાં આવે છે.
કર્મચારી સંગઠનોએ સરકાર પાસે માંગ કરી છે કે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછો 3 ટકાનો વધારો કરવામાં આવે. એવું માનવામાં આવે છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરી શકે છે. કેબિનેટની બેઠકમાં કર્મચારીઓ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરે છે, તો ડીએ વધીને 55 ટકા થઈ જશે.
ગયા વર્ષે DAમાં વધારો થયો હતો
ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારે કર્મચારીઓને રાહત આપી હતી, જ્યારે 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પહેલા મોંઘવારી ભથ્થું 50 ટકા હતું જે હવે 53 ટકા થઈ ગયું છે. હવે જો 2 ટકાનો વધારો થશે તો તે 55 ટકા થશે. શું તમે જાણો છો કે પગાર પર તેની કેટલી અસર થશે? ધારો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18 હજાર રૂપિયા છે તો તેનો પગાર 360 રૂપિયા વધી જશે.
જો 3 ટકાનો વધારો થશે તો પગારમાં 540 રૂપિયાનો વધારો થશે. મોંઘવારી ભથ્થાની સાથે કર્મચારીઓ 8મા પગાર પંચની પણ રાહ જોઈ રહ્યા છે, જેની જાહેરાત સરકારે જાન્યુઆરી 2025માં કરી હતી. આ પગારપંચ ક્યારે લાગુ થશે તે અંગે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી?





















