Bus Accident in Rajasthan: રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 325 પર એક સ્લીપર બસ ખાડામાં પડી ગઈ હતી. બસ અચાનક રસ્તો છોડીને ખાડામાં ખાબકી ગઈ. 5 લોકોના મોત થયા અને અંદાજે 20 લોકો ઘાયલ થયા, જેમાંથી પાંચની હાલત ગંભીર છે. પસાર થતા લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જનતા સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી જે આખી રાત ચાલુ રહી.
ઊંઘનું ઝોકું બન્યું અકસ્માતનું કારણ
આ અકસ્માત ઉમ્મેદપુર ગામ નજીક થયો હતો, જ્યાં ગામના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. તેમણે પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરને ઊંઘનું ઝોકું આવી ગયું હતું અને બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તા પરથી પલટી ગઈ હતી અને ખાડામાં ખાબકી હતી. પોલીસે મૃતદેહોને કબજે લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે, જ્યારે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દિવસ દરમિયાન પલટી હતી એક પ્રાઇવેટ બસ
તમને જણાવી દઈએ કે રવિવારે બપોરે જાલોરના અગવારી ગામ પાસે એક ખાનગી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને અનેક મુસાફરો ઘાયલ થયા હતા. ગ્રામજનોની મદદથી, ઘાયલોને ક્ષતિગ્રસ્ત બસમાંથી બહાર કાઢીને આહૌરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં સંડોવાયેલી બસ સાંચોરથી આવી હતી. અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ ઘાયલોએ અકસ્માત માટે ડ્રાઇવરને જવાબદાર ઠેરવ્યા છે.





















