ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા બંન્ને દેશો સાથે જોડાયેલી તમામ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદથી રાત્રે ઘૂસણખોરી કરતા પાકિસ્તાનના એક શખ્સને BSFએ ઠાર માર્યો હતો.
બનાસકાંઠા સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ કર્યો ઠાર
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી મોડી રાત્રે અજાણ્યો શખ્સ ભારતની સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરતો હતો. આ દરિમયાન BSFએ અનેક વખત ચેતવણી આપી હતી છતા આ શખ્સ ઘુસવાનો પ્રયાસ કરતો BSFએ ઠાર માર્યો હતો. આ અજાણ્યો વ્યકિત ક્યાથી આવ્યો તે અંગે BSF અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.






