Home Gujarat Breaking News Ahmedabad Underbridges Traffic Alternative Routes Amc Western Railway Shahibaug Underbridge Mithakali Underbridge

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ : આ રસ્તા પરથી નીકળશો તો ટ્રાફિકમાં ભરાશો અને ખાવો પડશે ધક્કો, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ
Published by: OBS Bureau
| Last Updated: Mar 19, 2026, 08:50 AM IST

19થી 21 માર્ચ દરમિયાન બંધ રહેશે બે અંડરબ્રિજ

રેલવે ટ્રેકનું મરામત કામ હાથ ધરવામાં આવ્યું છે

રાત્રે 12 થી સવારના 5 વાગ્યા સુધી બંધ રહેશે અંડરપાસ

Ahmedabad Traffic Issue: એક તરફ અમદાવાદમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ આજ સ્થિતિની વચ્ચે તંત્ર દ્વારા વિવિધ બ્રિજના સમારકામો હાથ ધરવામાં આવ્યાં છે. આ પરિસ્થિતિને કારણે હાલ શહેરમાં ટ્રાફિકનો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. નોકરીયાત હોય કે ધંધાર્થી, વિદ્યાર્થીઓ હોય કે વડીલો દરેકને ઘરેથી બહાર અને બહારથી પોતાના ઘરે પરત ફરવામાં ટ્રાફિકને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

ખાસ કરીને ટ્રાફિકને કારણે ટ્રાવેલિંગના સમયમાં સામાન્ય કરતા 30 થી 35 મિનિટનો એવરેજ વધારો થાય છે. જે માણસ ઘરેથી ઓફિસ કે ઓફિસથી ઘરે 30 મિનિટમાં પહોંચતો હોય તેને હવે ટ્રેવેલિંગમાં બમણાથી પણ વધારે સમય લાગે છે. ત્યારે દરેક ટેક્સ પેયર અમદાવાદીઓ તંત્રને સવાલ કરે છેકે, આખરે તેમની આ સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે?

અમદાવાદ શહેરમાં ટ્રાફિકને અસર કરનાર મહત્વપૂર્ણ સૂચના સામે આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા શહેરના બે વ્યસ્ત અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના મરામત કામને કારણે આંશિક અને સમયબદ્ધ બંધની જાહેરાત કરવામાં આવી છે. શાહીબાગ અને મીઠાખળી અંડરબ્રિજ પર થનારી આ કામગીરીને પગલે વાહનચાલકોને થોડા દિવસો સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.

શાહીબાગ અંડરબ્રિજ પર રિપેરિંગ કામગીરીને કારણે 19 માર્ચથી 28 માર્ચ સુધી ટ્રાફિકમાં મહત્વપૂર્ણ ફેરફાર રહેશે. આ સમયગાળા દરમિયાન દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે. આ વિસ્તાર શહેરના મુખ્ય માર્ગોમાંનો એક હોવાથી ટ્રાફિક પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગો મુજબ, દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવનારા વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી શકે છે. આ માર્ગ દ્વારા ડફનાળા થઈ એરપોર્ટ અને ગાંધીનગર તરફ સરળતાથી જઈ શકાય છે. એ જ રીતે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી શહેરમાં પ્રવેશતા વાહનો માટે પણ ડફનાળા અને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

બીજી તરફ, મીઠાખળી અંડરપાસ પર પણ રેલવે ટ્રેકના મરામત કામને કારણે 19, 20 અને 21 માર્ચના રોજ રાત્રિના સમયે ટ્રાફિક બંધ રહેશે. આ દિવસોમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અંડરપાસ સંપૂર્ણપણે બંધ રહેશે. દિવસ દરમિયાન ટ્રાફિક ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને ખાસ ધ્યાન રાખવું પડશે.

અસારવા, ગીરધરનગર અને કાલુપુર તરફ જવા માંગતા વાહનચાલકોને મહાપ્રજ્ઞાજી બ્રિજ (નવો નરોડા બ્રિજ) પરથી પસાર થવાની સલાહ આપવામાં આવી છે. આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાથી ટ્રાફિક જામથી બચી શકાય છે અને મુસાફરી સરળ બની શકે છે.

ટ્રાફિક વિભાગે આ કામગીરીને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કર્યું છે. ટ્રાફિકને સુચારૂ રીતે નિયંત્રિત કરવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સાથે જ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પૂર્વ આયોજન સાથે મુસાફરી કરે અને સૂચિત માર્ગોનો જ ઉપયોગ કરે.

શહેરના વ્યસ્ત વિસ્તારોમાં આવા પ્રકારના મેન્ટેનન્સ કામ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે. તેથી નાગરિકોએ સમય બચાવવા માટે વિકલ્પિક માર્ગો અપનાવવા, પીક કલાકોમાં મુસાફરી ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ રીતે, શાહીબાગ અને મીઠાખળી અંડરબ્રિજ પર થનારી મરામત કામગીરી શહેરના ટ્રાફિક પર તાત્કાલિક અસર કરશે, પરંતુ લાંબા ગાળે સુવિધાજનક મુસાફરી માટે આ કામ જરૂરી માનવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ': ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ: 800થી વધુ લોકો સામે ફરિયાદ, પોલીસની મોટી કાર્યવાહી

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘જય જોહાર’ના નાદ સાથે કોંગ્રેસના 60 વર્ષના શાસન પર આકરા પ્રહાર!

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!: સરહદી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ, રણમાં સોલાર પેનલો ઉડી જતાં અગરિયાઓ પાયમાલ

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!

World Oral Health Day: ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCH બની મજબૂત ઢાલ, પ્રિવેન્ટિવ કેરથી હજારો જીવ બચાવ્યા, 33 જિલ્લાઓમાં ચલાવ્યું ‘મિશન મોડ’ અભિયાન

World Oral Health Day

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો: કોણ છે ગોટાળો કરનાર ગુરુજી? જાણો પહેલી જ ડીલમાં કઈ રીતે ફૂટ્યો કૌભાંડનો ભાંડો

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો

Mata ni Pachedi: અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા 'માતાની પછેડી'ને મળ્યો GI ટેગ, જાણો કેવી રીતે આ 'હરતું-ફરતું મંદિર' બન્યું વૈશ્વિક ઓળખ

Mata ni Pachedi

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ: પાડોશી યુવકની ધરપકડ, POCSO હેઠળ ગુનો દાખલ

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો, અટવાયા હજારો માઈભક્તો

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો: અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!: કપોદ્રા ભરતનગરમાં સિલિન્ડરના વિસ્ફોટમાં 2 ના મોત

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!
Play Video

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ: જાણો ગુજરાતમાં ક્યાં ઝાડ પડ્યાં, ક્યાં દુકાનોના શેડ ધરાશાયી થયા અને ક્યાં ઉડી સોલારની પ્લેટો

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું: આ 13 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે તોફાન મચાવશે વરસાદ, ફરી સાચા પડ્યા અંબાલાલ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'