Home Gujarat Big News For The Students Of Gujarat These Books Will Change From The New Year New Syllabus Will Come 54241342 798b 40e9 9c21 93683f279dfc 54241342 798b 40e9 9c21 93683f279dfc

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર : નવા વર્ષથી આ ધોરણના પુસ્તકો બદલાઈ જશે, આવશે નવો અભ્યાસક્રમ

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 04:54 AM IST

Big News For The Students Of Gujarat: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓ જે પુસ્તકો વાંચશે તે આવતા વર્ષે ઉપયોગી નહીં થાય. આનું કારણ એ છે કે આગામી શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. ધોરણ ૧, ૬ થી ૮ અને ૧૨ ના કેટલાક પુસ્તકો બદલવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે નીચે દર્શાવેલ પાઠ્યપુસ્તકો આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે તેયાર કરવામાં આવ્યા છે. આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યભરની શાળાઓમાં તે મુજબ અભ્યાસ હાથ ધરવામાં આવશે.

કયા પુસ્તકો બદલવામાં આવશે?
ધોરણ ૧ માં ગુજરાતી વિષયના પુસ્તકો અને ધોરણ ૬ માં અંગ્રેજી વિષયના પુસ્તકો બદલવામાં આવશે.
ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમમાં, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તકો બદલવામાં આવશે.
ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલવામાં આવશે.
ધોરણ ૧૨ ના અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવામાં આવશે.

પાઠ્યપુસ્તક બોર્ડે જૂન 2025-26 માં રજૂ થનારા નવા પુસ્તકોની યાદી જાહેર કરી છે, જેમાં ધોરણ 6 માં અંગ્રેજી માધ્યમ, બીજી ભાષા તરીકે અંગ્રેજી સિવાયના તમામ પુસ્તકો બદલવામાં આવશે. ધોરણ 8માં પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં હશે. ધોરણ 1માં ગુજરાતી, પ્રથમ અને દ્વિતીય ભાષા સિવાયના તમામ માધ્યમોમાં પુસ્તકો બદલવામાં આવશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now