Big News For The Students Of Gujarat: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓ જે પુસ્તકો વાંચશે તે આવતા વર્ષે ઉપયોગી નહીં થાય. આનું કારણ એ છે કે આગામી શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. ધોરણ ૧, ૬ થી ૮ અને ૧૨ ના કેટલાક પુસ્તકો બદલવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે નીચે દર્શાવેલ પાઠ્યપુસ્તકો આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે તેયાર કરવામાં આવ્યા છે. આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યભરની શાળાઓમાં તે મુજબ અભ્યાસ હાથ ધરવામાં આવશે.
કયા પુસ્તકો બદલવામાં આવશે?
ધોરણ ૧ માં ગુજરાતી વિષયના પુસ્તકો અને ધોરણ ૬ માં અંગ્રેજી વિષયના પુસ્તકો બદલવામાં આવશે.
ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમમાં, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તકો બદલવામાં આવશે.
ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલવામાં આવશે.
ધોરણ ૧૨ ના અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવામાં આવશે.
પાઠ્યપુસ્તક બોર્ડે જૂન 2025-26 માં રજૂ થનારા નવા પુસ્તકોની યાદી જાહેર કરી છે, જેમાં ધોરણ 6 માં અંગ્રેજી માધ્યમ, બીજી ભાષા તરીકે અંગ્રેજી સિવાયના તમામ પુસ્તકો બદલવામાં આવશે. ધોરણ 8માં પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં હશે. ધોરણ 1માં ગુજરાતી, પ્રથમ અને દ્વિતીય ભાષા સિવાયના તમામ માધ્યમોમાં પુસ્તકો બદલવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયાને વેગ આપવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત: ઉમેદવારોને મંજૂરી મેળવવામાં પડશે સરળતા






