Banking Rules Updated: બેંકો સમયાંતરે પોતાના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. આ મહિને પણ કેટલાક મોટા ફેરફારો થયા છે, જેના વિશે તમારે જાગૃત રહેવાની જરૂર છે. નિયમોમાં ફેરફાર વિશે જાણકારી ન હોવાને કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટથી લઈને ખાતામાં મિનિમમ બેલેન્સ સુધીના કેટલાક ફેરફારો આ મહિનાથી અમલમાં આવ્યા છે.
મિનિમમ બેલેન્સની નવી લિમિટ
કેટલીક બેંકોએ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. SBI ખાતાધારકોએ હવે ખાતામાં ઓછામાં ઓછા 5000 રૂપિયા રાખવા પડશે. પહેલા આ મર્યાદા 3000 રૂપિયા હતી. એ જ રીતે પંજાબ નેશનલ બેંકે આ મર્યાદા 1000 રૂપિયાથી વધારીને 3500 રૂપિયા કરી દીધી છે. જ્યારે કેનેરા બેંકમાં લઘુત્તમ રકમ 1000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે. લઘુત્તમ રકમ કરતાં ઓછું બેલેન્સ ધરાવતા ખાતાધારકો પાસેથી દંડની રકમ વસૂલવામાં આવશે.
ATM ટ્રાન્જેક્શનવી નવી લિમિટ
આ મહિનાથી ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાઈ ગયા છે. અપડેટ કરાયેલા નિયમો અનુસાર મેટ્રો શહેરોમાં લોકો મહિનામાં 3 વખત મફતમાં ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આ પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે, જે પહેલા 20 રૂપિયા હતો. જો તમે અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો, તો 30 રૂપિયા લેવામાં આવશે. નોન-મેટ્રોમાં આ મર્યાદા 5 છે.
ડિપોઝિટ પર લાગી ફી
કોટક મહિન્દ્રા બેંકે તેના 811 બચત ખાતાના નિયમોમાં સુધારો કર્યો છે. દર મહિને 10,000 રૂપિયાથી વધુની રોકડ થાપણો માટે 1000 રૂપિયા દીઠ 5 રૂપિયાનો ચાર્જ લાગુ થશે. એટીએમ ડિક્લાઈન ફી હવે માત્ર નોન-કોટક એટીએમ (રૂ. 25) પર જ લાગુ થશે. સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલ ફી 200 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી છે.
IDFC ફર્સ્ટ ક્રેડિટ કાર્ડ
20મી ફેબ્રુઆરીથી IDFC ફર્સ્ટ ક્રેડિટ કાર્ડમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. સ્ટેટમેન્ટની તારીખો બદલવામાં આવશે અને CRED અને PayTM જેવા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતી શિક્ષણ ચુકવણીઓ માટે નવા શુલ્ક લાગુ થશે. વધુમાં કાર્ડ રિપ્લેસમેન્ટ ફી હવે રૂ. 199 + લાગુ ટેક્સની રકમ છે.
વ્યાજ દરો પર રાખો નજર
પાંચ વર્ષના લાંબા ગાળા બાદ રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી બેંક લોન સસ્તી થઈ શકે છે. આ સાથે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર આરબીઆઈ બેંકોને નાણાં ઉછીના આપે છે. જ્યારે મધ્યસ્થ બેંક આ દર ઘટાડે છે, ત્યારે બેંકો ઓછા ખર્ચે નાણાં ઉછીના લઈ શકે છે. જો કે, આનાથી થાપણ દરોમાં પણ ઘટાડો થાય છે, કારણ કે બેંકોને ભંડોળ આકર્ષવા માટે ઉચ્ચ વળતર આપવાની જરૂર નથી.
8th Pay Commission: ગ્રેચ્યુઈટી 25 લાખથી વધારીને 75 લાખ કરાશે?: સેલરી-પેન્શનથી અલગ માત્ર માંગ જ નહીં, કેલ્ક્યુલેશન પણ સમજો






