ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમની પોસ્ટમાં કહ્યું "હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનો તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થવા અને વાટાઘાટોમાં જોડાવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું." યુનુસે પોતાની પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું "હું ભારત અને પાકિસ્તાન વચ્ચે અસરકારક રીતે મધ્યસ્થી કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ સચિવ માર્કો રુબિયોની પણ પ્રશંસા કરવા માંગુ છું." તેમણે વધુમાં કહ્યું "બાંગ્લાદેશ તેના બંને પડોશી દેશોને રાજદ્વારી માધ્યમો દ્વારા મતભેદો ઉકેલવાના પ્રયાસોમાં સમર્થન આપવાનું ચાલુ રાખશે."
I most sincerely commend Prime Minister Shri Narendra Modi of India and Prime Minister Shehbaz Sharif of Pakistan for agreeing to a ceasefire with immediate effect and to engage in talks. I would also like to express my deep appreciation to President Trump and Secretary of State…
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) May 10, 2025
ભારતના બદલાથી પાકિસ્તાનને ખૂબ પરસેવો છૂટી ગયો હતો.
પાકિસ્તાની આતંકવાદી હુમલા પછી જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં બદલો લીધો ત્યારે પાકિસ્તાનને પરસેવો પાડી દીધો. પાકિસ્તાન સરકારે વિશ્વના અન્ય દેશોને ભારત પર દબાણ લાવવાની અપીલ કરવાનું શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો અને તેના તમામ હુમલાઓને હવામાં નિષ્ફળ બનાવ્યા.






