બાંગ્લાદેશના રસ્તાઓ પર આવતા જતા સૌ લોકોને સેનાના બળવાની આશંકા છે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાનના કેટલાક કેટલાક પગલાંઓ એવા લીધા છે જેના કારણે બાંગ્લાદેશમાં નવાજૂની થશે તેવા સંકેતો મળી રહ્યા છે. દેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન ટોચના લશ્કરી અધિકારીઓ, રાજકારણીઓ અને વિદ્યાર્થી નેતાઓ સાથે પણ ગુપ્ત બેઠકો કરી રહ્યા છે, જેના કારણે બધાને આશ્ચર્ય થાઇ રહ્યું છે કે બાંગ્લાદેશમાં થઇ શું થઈ રહ્યું છે? શું તે ફક્ત નિયમિત કાર્યવાહી હતી કે બંધ દરવાજા પાછળ કંઈક મોટું રંધાઇ રહ્યું છે? દેશમાં અફવાઓનો દોર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે, અને કોઈને ખબર નથી કે શું કરવું!
તમને જણાવી દઇએ કે બાંગ્લાદેશમાં 2 ઘટનાઓ એવી બની છે જે સૂચવી રહી છે કે બાંગ્લાદેશમાં કંઇક નવાજૂની થશે.
બાંગ્લાદેશમાં તણાવ વધ્યો: રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સેના એલર્ટ પર
બાંગ્લાદેશની રાજધાનીની શેરીઓમાં તણાવ વધી રહ્યો છે. કારણ કે સૈન્યએ તેની હાજરી વધારી છે.સંભવિત રાજકીય ઘર્ષણની સ્થિતિમાં પેટ્રોલિંગ તીવ્ર બનાવવાના આશયથી સૈનિકો ખળકી દેવાતાં બાંગ્લાદેશમાં ચર્ચા શરૂ થઇ છે. 25 માર્ચ, 2025 ના રોજ, બાંગ્લાદેશના સશસ્ત્ર દળો અને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના અહેવાલો બહાર આવ્યા. જેનાથી સેનાના બળવાની અટકળો તેજ બની છે.
નવી રચાયેલી નેશનલ સિટીઝન પાર્ટી (NCP):
બાંગ્લાદેશમાં નેશનલ સિટીઝન પાર્ટી એક ઉભરતી રાજકીય શક્તિ છે.જેણે ખુલ્લેઆમ સેના પર દેશના રાજકીય બાબતોમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. NCPનો દાવો છે કે, ગયા વર્ષે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી સૈન્ય તેની દેશની તમામ રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.લોકશાહી પ્રક્રિયા સ્થાપિત કરવાના પ્રયાસોને નબળી પાડી રહ્યું છે.NCPપાર્ટી પારદર્શક ચૂંટણીઓની માગમાં અવાજ ઉઠાવી રહી છે, જે લાંબા સમય સુધી વચગાળાના શાસનથી નિરાશ ઘણા નાગરિકો સાથે પડઘો પાડે છે.
મહત્વનું છેકે ઓગસ્ટ 2024માં, વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશ છોડવા ફરજ પાડી હતી. જે બાદ બાંગ્લાદેશમાં યુનુસે મુખ્ય સલાહકાર તરીકે શાસન સંભાળ્યું છે. તેમની સરકારને બાંગ્લાદેશમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેમણે આપેલા વાયદા અને રોડમેપની અમલવારી ધીમી પડી છે. જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે. ઢાકામાં સૈન્યની વધતી જતી સંખ્યાએ લોકોમાં અસ્થિરતાની આશંકાને બળ આપ્યું છે. બાંગ્લાદેશની સિવિલ સોસાયટીને ડર છેકે સેના સત્તા હડપવાની કોશીશ કરી શકે છે.
બાંગ્લાદેશમાં હાલ બળવાની કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. પણ સેનાની તૈનાતીને લઇને આખો દેશ શ્વાસ રોકીને બેઠો છે. તેવામાં આગામી દિવસો બાંગ્લાદેશ સ્થિરતા તરફ આગળ વધે છે કે અરાજકતામાં વધુ ઊંડા ડૂબી જાય છે તેના પર આખી દૂનિયાની નજર છે.





