યુપીના આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. સપા પ્રમુખના કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ સુરક્ષા ઘેરો તોડીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. જેનાથી સુરક્ષા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. લગભગ પાંચ મિનિટની મહેનત બાદ તેને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સપાનું કહેવું છે કે, 'આ એક સારા કાર્યક્રમને બગાડવાનું વહીવટીતંત્રનું કાવતરું છે'. ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આઝમગઢ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોને સંબોધિત કર્યો હતો. આ રેલી દરમિયાન એક યુવક સુરક્ષા ઘેરો તોડીને સ્ટેજ તરફ આગળ વધ્યો હતો. જેને જોઈને પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અટક્યો નહીં અને સ્ટેજ તરફ આગળ વધતો રહ્યો. તેણે પોલીસકર્મીઓને ધક્કો પણ માર્યો હતો. જે પછી યુવક જમીન પર બેસી ગયો અને પછી સૂઈ ગયો હતો. આખરે, ઘણી કોશિશ પછી પોલીસકર્મીઓએ તેને સુરક્ષા વિસ્તારમાંથી બહાર કાઢ્યો હતો.
VIDEO | Security breach during Samajwadi Party president Akhilesh Yadav's public event in Azamgarh. A youth tried to jump over the security barricading. He was taken into custody by the police.
— Press Trust of India (@PTI_News) July 3, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/yxyGDEK74M
મનુવાદી માર્ગે ભાજપ ચાલી રહી છે: અખિલેશ યાદવ
અખિલેશ યાદવે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ''ભાજપ બંધારણને અનુસરવા માંગતી નથી, તેમનો રસ્તો કંઈક અલગ છે. તેઓ મનુના માર્ગે ચાલેં છે, પરંતુ લોકો ક્યારેય તેમનો રસ્તો સ્વીકારશે નહીં. આઝમગઢ અને તેની આસપાસના જિલ્લાઓના લોકો સમાજવાદી ચળવળ સાથે મજબૂત રીતે ઉભા છે. અમે આઝમગઢ, ગાઝીપુર અને આંબેડકર નગરમાં બધી બેઠકો જીતી છે. અમે લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો પણ જીતી છે. ઇતિહાસ સાક્ષી છે કે જે પણ લોકસભા જીતે છે, તે વિધાનસભા પણ જીતે છે.
સમાજવાદી પાર્ટી સરકારમાં આઉટસોર્સિંગ સિસ્ટમનો અંત આવશે
સપા વડાએ વધુમાં કહ્યું કે અમે ફક્ત આ બંધારણને મજબૂત નહીં બનાવીએ પણ અનામત છીનવી લેવાના ભાજપના કાવતરાનો પણ વિરોધ કરીશું. ભાજપ આઉટસોર્સિંગની એક નવી વ્યવસ્થા લાવી છે જેમાં અનામતની કોઈ જોગવાઈ નથી. સપા સરકાર બનતાની સાથે જ અમે આઉટસોર્સિંગને કાયમ માટે સમાપ્ત કરીશું કારણ કે તે કાયમી નોકરીનો અધિકાર આપતું નથી.
અખિલેશના ભાજપ પર પ્રહાર
અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે આ લોકો (ભાજપ સરકાર) શાળાઓ બંધ કરી રહ્યા છે. પાંચ હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. ગરીબો પાસેથી શિક્ષણ છીનવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેઓ ઇચ્છે છે કે બહેનો અને દીકરીઓ શિક્ષણથી વંચિત રહે. જ્યારે શાળાઓ બંધ હશે, ત્યારે ગરીબ બાળકો ક્યાં ભણવા જશે?






