Home Gujarat Ahmedabad Ahmedabad Rath Yatra Route Amc Encroachment Drive Panchkuva

અમદાવાદ રથયાત્રા પૂર્વે AMC એક્શન મોડમાં : રૂટ પરથી ગેરકાયદે દબાણો હટાવવાનું સઘન અભિયાન શરૂ

Ahmedabad News
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2026, 02:53 PM IST

Ahmedabad News: અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત AMCની દબાણ હટાવવાની ટીમે રથયાત્રાના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ હાથ ધરી છે.

સ્ત્રી સમજીને જેની સાથે લગ્ન કર્યા તે પુરુષ નીકળ્યો! : 3 મહિના સુધી પતિને શરીરસુખથી વંચિત રાખ્યો! સત્ય સામે આવતા જ યુવકે ખેલ્યો લોહિયાળ ખેલ

મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં પાંચકુવા દરવાજા પાસે તંત્રની કડક કાર્યવાહી

મળતી માહિતી મુજબ, AMCના મધ્ય ઝોનની દબાણ વિરોધી ટીમ દ્વારા ખાડિયા વોર્ડમાં આવેલા પાંચકુવા દરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે, તે રોડ પર પથરાયેલા ગેરકાયદે લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.

સામાન જપ્ત કરાયો

આ કામગીરી દરમિયાન રોડ અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે મુકાયેલી તાડપત્રીઓ, લોખંડના શેડ તેમજ અન્ય વ્યાપારી સામાનને AMCની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ડ્રગ માફિયાઓ પર કાનૂની સર્જિકલ સ્ટ્રાઈક : 575 કરોડના હેરોઇન સ્મગલિંગ કેસમાં 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની સખત કેદ

ટ્રાફિક અને યાત્રાળુઓની સુવિધા માટે લેવાયા કડક પગલાં

રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડતી હોય છે. આ સંજોગોમાં રોડ સાંકડા ન પડે અને ઈમરજન્સી સેવાઓ તેમજ યાત્રાળુઓની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે માર્ગ ખુલ્લો રાખવો અત્યંત જરૂરી છે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અને સુરક્ષાના ભાગરૂપે આ દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં પણ ઝુંબેશ રહેશે યથાવત

AMCના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માત્ર એક દિવસીય કાર્યવાહી નથી. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આગામી દિવસોમાં પણ રથયાત્રાના સમગ્ર રૂટ પર આ ઝુંબેશ સતત યથાવત રાખવામાં આવશે. જો કોઈ વેપારી કે નાગરિક ફરીથી માર્ગ પર દબાણ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરીને ભારે દંડ વસૂલવામાં આવશે. તંત્રની આ કડક કામગીરીને પગલે સ્થાનિક રહીશો અને ભક્તોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ચૈતર વસાવાના સમર્થનમાં 2 જુલાઈએ ડેડિયાપાડામાં જનસમર્થન સભા : આદિવાસી સંગઠનોના શક્તિ પ્રદર્શનના દાવા વચ્ચે BJP-AAP સામસામે!


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now