Home Gujarat After Jungleshwar Now Bulldozers Echo In Laxminagar Rajkot Administration Hits Back At Over 350 Pressures Clash With Locals

રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન : 350થી વધુ દબાણો પર તંત્રની ત્રાટક, સ્થાનિકો સાથે ઝપાઝપી; 400 પોલીસ કર્મીઓ તૈનાત

રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન
Published by: Offbeat Team
| Last Updated: Mar 09, 2026, 05:44 AM IST

રાજકોટ: રંગીલા રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન પૂર્ણ કર્યા બાદ હવે તંત્રનું બુલડોઝર લક્ષ્મીનગર અને ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરી વળ્યું છે. સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી અંદાજે પાંચ એકર જેટલી કિંમતી રેલવેની જમીન પર વર્ષોથી જામી ગયેલા દબાણોને દૂર કરવા માટે રેલવે વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આશરે 350થી વધુ ઝૂંપડાઓ અને કાચા-પાકા બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું હતું જ્યારે કેટલાક સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકો અને પોલીસ તેમજ રેલવે તંત્ર વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, સ્થિતિ વણસે નહીં તે માટે માલવિયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને આરપીએફ સહિતના 400થી વધુ જવાનોએ કિલ્લેબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. રેલવે વિભાગ દ્વારા અગાઉ અનેકવાર નોટિસ આપ્યા બાદ આખરે આ કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભક્તિનગર રેલવે સ્ટેશનના આધુનિકીકરણનો માર્ગ મોકળો

રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભક્તિનગર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ અને આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રેલવેની માલિકીની પાંચ એકર જમીન પર થયેલા દબાણો મોટો અવરોધ હતા. અગાઉ 11મી ફેબ્રુઆરીએ અંતિમ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતા આજે તંત્રએ જેસીબી અને શ્રમિકોની મદદથી ડિમોલિશન શરૂ કર્યું છે. આ કામગીરીથી વર્ષો જૂના દબાણો દૂર થશે અને રેલવેના વિકાસ કાર્યોને વેગ મળશે.

જંગલેશ્વરમાં થયેલું ‘મહા-ડિમોલિશન’ હજુ પણ ચર્ચામાં

રાજકોટના ઈતિહાસમાં આજી નદીના કિનારે જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલું ‘મહા-ડિમોલિશન’ ઓપરેશન આજે પણ ચર્ચાના કેન્દ્રમાં છે. આ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા આશરે 87 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ગેરકાયદેસર દબાણોમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ ઓપરેશનની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 64 જેસીબી, 7 હિટાચી મશીન અને 1,450થી વધુ શ્રમિકોની મહાકાય ફોજ કામે લગાડવામાં આવી હતી.

સુરક્ષાના દૃષ્ટિકોણથી આ આખી કામગીરી અત્યંત પડકારજનક હતી, જેને પહોંચી વળવા માટે 2,500 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને 25 ડ્રોન કેમેરાની મદદથી આખા વિસ્તારનું સતત આકાશમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહી દરમિયાન 1,026થી વધુ કાચા-પાકા મકાનો અને જંગલેશ્વરની કુખ્યાત મુરઘા ગેંગના સાગરિતો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર કારખાનાઓ પણ જમીનદોસ્ત કરી દેવાયા હતા. મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ પોતે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ તૈયાર કરાવીને આ સમગ્ર કામગીરીનું પળેપળનું નિરીક્ષણ કર્યું હતું, જેના કારણે આટલું મોટું ઓપરેશન કોઈપણ અનિચ્છનીય બનાવ વગર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

અસરગ્રસ્તો માટે સરકારની આવાસ યોજના

તંત્ર દ્વારા માત્ર દબાણો જ દૂર કરવામાં નથી આવી રહ્યા, પરંતુ અસરગ્રસ્તોના પુનઃવસન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જંગલેશ્વરના ડિમોલિશનથી અસરગ્રસ્ત થયેલા લોકોને નવા બની રહેલા 3,000 આવાસોમાં પ્રથમ અગ્રતા (પ્રાયોરિટી) આપવામાં આવશે. આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર થવાથી હવે ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યામાંથી પણ રાજકોટવાસીઓને મુક્તિ મળશે તેવું તંત્રનું માનવું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી: ઈમેલ મળતા તંત્ર એલર્ટ

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી

ભાજપ હાઈકમાન્ડનો હર્ષ સંઘવી પર મોટો ભરોસો: રાજ્યસભા ચૂંટણી માટે સોંપાઈ મહત્વની જવાબદારી, જાણો કયા રાજ્યમાં બન્યા નિરીક્ષક

ભાજપ હાઈકમાન્ડનો હર્ષ સંઘવી પર મોટો ભરોસો

SPA, DJ, ગેરેજ અને ભાડુઆતો માટે આવ્યો નવો નિયમ: વાંચી લેજો અમદાવાદ પોલીસ કમિશ્નરનું આ નવું જાહેરનામું

SPA, DJ, ગેરેજ અને ભાડુઆતો માટે આવ્યો નવો નિયમ

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત: SIT એ આપી ક્લીન ચિટ

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત

Junagadh News: સોંદરડા બાયપાસ પાસે કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર: 8 મુસાફરો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

Junagadh News

ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી: અમદાવાદ-વડોદરા સહિત 10 જિલ્લામાં ‘યલો એલર્ટ’, રાજકોટ 40 ડિગ્રી સાથે સૌથી ગરમ

ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ: મેરેજ બ્યુરોના નામે યુવાનોને ફસાવી લાખોની છેતરપિંડી કરતાં; 2 મહિલા સહિત 4 આરોપી પોલીસ સકંજામાં

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ

ગાંધીનગરમાં AAP ની ‘પરિવર્તન લાવો ખેડૂત બચાવો’ સભા: અરવિંદ કેજરીવાલની હાજરીમાં સોમનાથથી શરૂ યાત્રાની પૂર્ણાહુતિ

ગાંધીનગરમાં AAP ની ‘પરિવર્તન લાવો ખેડૂત બચાવો’ સભા
Play Video

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

દામનગરમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો: ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા, ધારાસભ્ય જનક તળાવીયા કરી પુષ્ટિ

દામનગરમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ

વાઘોડિયામાં નર્મદા મેન કેનાલ પર બાળકોના ખતરનાક સ્ટંટ: બ્રિજ પરથી છલાંગ લગાવતા વીડિયો વાયરલ

વાઘોડિયામાં નર્મદા મેન કેનાલ પર બાળકોના ખતરનાક સ્ટંટ

શિક્ષણ, પાણી અને સુશાસનનો ત્રિવેણી સંગમ: મુખ્યમંત્રીએ ઘાટલોડિયા અને બોડકદેવમાં જનસુવિધાના પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા

શિક્ષણ, પાણી અને સુશાસનનો ત્રિવેણી સંગમ

જામનગરમાં મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં વિકરાળ આગ: જામનગરમાં મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં વિકરાળ આગ મરચામાં આગ લાગવાથી સ્થાનિકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

જામનગરમાં મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં વિકરાળ આગ

'વહુ'ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપો: ઠાકોર સમાજના 35 મા સમૂહ લગ્નોત્સવમાં Dy CM હર્ષ સંઘવીની ભાવુક અપીલ, સૌને સામાજિક દૂષણો દૂર કરવા લેવડાવ્યા સંકલ્પ

'વહુ'ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપો

કચ્છમાં ઉનાળાનો કહેર: ભુજમાં તાપમાન 38°C પહોંચતા જનજીવન પર અસર

કચ્છમાં ઉનાળાનો કહેર

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે મહેસાણાના 3 ગુજ્જુઓ માંડ માંડ આવ્યા પરત: દુબઈથી ઓમાન સુધી ટેક્સી અને પછી 2 ફ્લાઇટ લઈ પહોંચ્યા ઘરે

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે મહેસાણાના 3 ગુજ્જુઓ માંડ માંડ આવ્યા પરત

જામનગરની ધ્રોલ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનીનો આપઘાત: પરિવારજનોના સંચાલકો સામે ગંભીર આક્ષેપ

જામનગરની ધ્રોલ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનીનો આપઘાત