પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર પછી હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. બિલાવલે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે "જો ભારત સિંધુ પર બંધ બનાવશે તો યુદ્ધ થશે."
બિલાવલ ભુટ્ટોએ બીજું શું કહ્યું?
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે "પાકિસ્તાનની સિંધુ પર ઐતિહાસિક હુમલો કરવામાં આવ્યો છે. સિંધુ નદી પાકિસ્તાનના લોકોનું એકમાત્ર સંસાધન છે. જ્યારે પીએમ મોદીએ આ નદી પર હુમલો કરવાની જાહેરાત કરી ત્યારે તેમણે આપણી સંસ્કૃતિ અને કરુણા પર હુમલો કરવાની જાહેરાત કરી."
બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે "મારું માનવું છે કે પાકિસ્તાનના લોકો હોય કે ભારતના લોકો તેઓ તેમની સરકારના આ નિર્ણયની વિરુદ્ધ છે. હું આખી દુનિયા સુધી પહોંચ્યો છે. અમેરિકાથી યુરોપ સુધી અમે પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. મેં આખી દુનિયાને પીએમ મોદીએ સિંધુ પર કરેલા હુમલા વિશે જણાવ્યું છે."






