Infosys Job Cuts: નેસેન્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઈઝ સીનેટ એટલે NITES એ ઈન્ફોસિસ વિરુદ્ધ શ્રમ મંત્રાલયમાં ફોર્મલ કમ્પ્લેટ ફાઈલ કરાવી છે, જેમાં ગેરકાયેદસર છંટણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. NITES દાવો કરે છે કે આ શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે. શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાને સુપરત કરવામાં આવેલી આ ફરિયાદમાં NITESએ આરોપ મૂક્યો છે કે ઇન્ફોસિસે તાજેતરમાં જ કેમ્પસમાં જોડાનારા ભરતીઓને બરતરફ કરી હતી, જેમને ઑફર લેટર્સ મળવા છતાં કંપનીમાં જોડાવામાં બે વર્ષનો વિલંબ થયો હતો. બીજી તરફ કંપનીએ છટણીનું કારણ આંતરિક મૂલ્યાંકન કાર્યક્રમમાં નિષ્ફળતાને ટાંક્યું છે.
ભરતીને બળજબરીથી નોકરીમાંથી હટાવ્યા
NITESના વકીલ અને પ્રમુખ હરપ્રીત સિંહ સલુજાએ શ્રમ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમને અસરગ્રસ્ત કર્મચારીઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે, જે દર્શાવે છે કે ઇન્ફોસિસ લિમિટેડે તાજેતરમાં સામેલ કરાયેલા કેમ્પસ ભરતીઓને બળજબરીથી કાઢી મૂક્યા છે. સંસ્થાનું માનવું છે કે ઈન્ફોસિસની આ કાર્યવાહી આઈટી ઈન્ડસ્ટ્રી માટે ખતરનાક છે, જેના કારણે અન્ય કંપનીઓ પણ આવું કરી શકે છે. સંગઠને તેની ફરિયાદ સાથે કર્મચારીઓની ફરિયાદની નકલો પણ જોડી દીધી છે.
NITES એ કેન્દ્રીય શ્રમ મંત્રાલય સમક્ષ રાખી 3 માંગણી
ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947ના ઉલ્લંઘન માટે NITES એ ઈન્ફોસિસ વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી અને મામલાની તપાસની માંગ કરી છે.
સંસ્થાએ કાયદાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ છટણી પર રોક લગાવવાની માંગ કરી છે.
એટલું જ નહીં, NITES એ તમામ બરતરફ કરાયેલા કર્મચારીઓને વળતર સાથે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
ઇન્ફોસિસે છૂટા કર્યા 700 કર્મચારી?
બીજી તરફ, ઈન્ફોસિસે NITESના 700 કર્મચારીઓને છટણી કરવાના દાવાને નકારી કાઢ્યો છે. એટલું જ નહીં આઈટી જાયન્ટનું કહેવું છે કે આ સંખ્યા 350થી ઓછી છે. કંપનીએ તેને પરસ્પર અલગતા ગણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે કર્મચારી ત્રણ પ્રયાસો પછી પણ આંતરિક મૂલ્યાંકન પાસ કરી શક્યા નથી. જ્યારે NITES એ પણ આરોપ લગાવ્યો છે કે ઇન્ફોસિસે પણ કર્મચારીઓને ધમકાવવાની અને ડરાવવાની રણનીતિ અપનાવી છે.





















