Home National 27 May History Important Events Country Abroad National International

આજે 27 મે : પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

27 May, History, Jawaharlal Nehru
Published by: Vishal Dave
Last Updated: May 27, 2026, 02:30 AM IST

ઇતિહાસના પાનાઓ પર 27 મેની તારીખ ભારત માટે અત્યંત ભાવુક કરનારી રહી છે. આજના દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન થયું હતું. 1930 અને 1940 ના દાયકામાં આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા નહેરુનું 27 May 1964 ના રોજ દિલ્હીમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ ભારતમાં સંસદીય સરકારની સ્થાપના અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિનજોડાણવાદી નીતિના પ્રણેતા તરીકે ઓળખાયા. આ ઉપરાંત, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું પણ 1935 માં આજના જ દિવસે અવસાન થયું હતું. રમત જગતની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનો આજે જન્મદિવસ છે. આવો વિગતવાર જાણીએ તવારીખમાં નોંધાયેલી આજના દિવસની પ્રમુખ ઘટનાઓ.

27 મેની ઐતિહાસિક ઘટનાઓ

  • 1994: નોબેલ સાહિત્ય પુરસ્કાર વિજેતા અને જાણીતા રશિયન સર્જક એલેક્ઝાન્ડર સોલ્કેનિત્સિન પશ્ચિમી દેશોમાં 20 વર્ષનો લાંબો દેશનિકાલ ભોગવ્યા બાદ ફરી પોતાના વતન પરત ફર્યા.

  • 1999: બોત્સ્વાનાની સુંદરતા પુલે ક્વેલાગોવ 1999 ના વર્ષની મિસ યુનિવર્સ તરીકે ચૂંટાઈ હતી. આ જ વર્ષે પર્યાવરણ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત સોફી એવોર્ડ અમેરિકાના ડરમન હેલી અને ભારતના થોમસ કેરીને એનાયત કરવામાં આવ્યો હતો.

  • 2000: ફિજી દેશમાં મોટી રાજકીય કટોકટી સર્જાતા મહેન્દ્ર ચૌધરીની સરકારને બરખાસ્ત કરવામાં આવી અને રાષ્ટ્રપતિ મારાએ શાસન પોતાના હસ્તક લીધું.

  • 2002: નેપાળમાં રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાન દેઉબાને પક્ષમાંથી 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

  • 2005: દક્ષિણ આફ્રિકાના પ્રશાસન દ્વારા દેશની રાજધાની પ્રિટોરિયાનું નામ બદલીને શ્વેન કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.

  • 2006: ઇન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપના લીધે ભયાનક તબાહી મચી હતી, જેમાં ઓછામાં ઓછા 2,900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા.

  • 2008: ભારત સરકારે આર્થિક નિર્ણયો અંતર્ગત સિમેન્ટની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ પાછો ખેંચ્યો. આ જ દિવસે ઓસ્કાર એવોર્ડ વિજેતા પ્રખ્યાત ડાયરેક્ટર સિડની પોલેકનું અવસાન થયું.

  • 2010: સંરક્ષણ ક્ષેત્રે ભારતે મોટી સફળતા મેળવતા ઓડિશાના ચાંદીપુર લોન્ચિંગ સેન્ટર પરથી પરમાણુ ક્ષમતા ધરાવતી ધનુષ અને પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. પૃથ્વી 2 મિસાઈલ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ છે, જેની મારક ક્ષમતા 350 કિમીની છે.

  • 2011: વૈશ્વિક સર્ચ એન્જિન Google દ્વારા ભારતીય શહેરોની ગલીઓ અને સોસાયટીઓના વાસ્તવિક લોકેશન ઇન્ટરનેટ પર તસવીરો સાથે લાઈવ બતાવવાના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી.

  • 2018: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ઇકો-ફ્રેન્ડલી અને 135 કિમી લાંબા ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ 6-લેન હાઇવે વૈશ્વિક સ્તરની સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે.

  • 2018: આઇપીએલની ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને માત આપીને ત્રીજી વખત IPL ટાઇટલ પોતાના નામે કર્યું. ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના ચોથા એસ્ટ્રોનોટ એલેન બીનનું આજના દિવસે અવસાન થયું. આ ઉપરાંત, સ્ટેસી કનિંગહામ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યા અને કોંગોમાં બોટ દુર્ઘટનામાં 50 થી વધુ પ્રવાસીઓના મોત થયા.

આજના દિવસે જન્મેલા પ્રખ્યાત મહાનુભાવો

  • 2003: ત્રિશા જોલી, ભારતીય મહિલા બેડમિન્ટન પ્લેયર.

  • 1985: ચિરાગ જૈન, જાણીતા કવિ, પત્રકાર અને લેખક.

  • 1957: નીતિન ગડકરી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી.

  • 1962: રવિ શાસ્ત્રી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર, હેડ કોચ અને કમેન્ટ્રેટર.

  • 1938: ભાલચંદ્ર નેમાડે, પ્રખ્યાત મરાઠી નવલકથાકાર, કવિ અને વિવેચક.

  • 1928: બિપિન ચંદ્ર, ભારતના ખ્યાતનામ ઇતિહાસકાર.

  • 1894: પદુમલાલ પુન્નાલાલ બક્ષી, હિન્દી સાહિત્યના વિવેચક અને નિબંધકાર.

  • 1954: હેમંત જોશી, કવિ અને પત્રકારત્વના પ્રોફેસર.

  • 1931: ઓ.એન.વી. કુરુપ, મલયાલમ ભાષાના લોકપ્રિય કવિ અને ગીતકાર.

આજના દિવસે અવસાન પામેલા જાણીતા વ્યક્તિત્વ

  • 1964: પંડિત જવાહરલાલ નહેરૂ, ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ પ્રધાનમંત્રી.

  • 1935: રમાબાઈ આંબેડકર, બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરના ધર્મપત્ની.

  • 2016: હંગપન દાદા, ભારતીય સેનાના બહાદુર જવાન જેમને મરણોત્તરે 'અશોક ચક્ર'થી સન્માનિત કરાયા હતા.

  • 2009: લોકનાથ મિશ્રા, અરુણાચલ પ્રદેશ અને આસામના પૂર્વ રાજ્યપાલ.

  • 1994: લક્ષ્મણ શાસ્ત્રી જોશી, મરાઠી ભાષાના પ્રખર લેખક અને વિદ્વાન.

  • 1986: અજય કુમાર મુખર્જી, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી.

  • 1983: સરદાર હુકમ સિંહ, ભારતીય લોકસભાના પૂર્વ સ્પીકર.

  • 1919: કંદુકુરી વીરેશલિંગમ, તેલુગુ સાહિત્યના મહાન વિદ્વાન, જેઓ આધુનિક તેલુગુ સાહિત્યમાં 'ગદ્ય બ્રહ્મા' તરીકે પ્રખ્યાત થયા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now