મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાએ ઉગ્રવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખેંગજોય વિસ્તારમાં મળી આવેલી ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા ઓપરેશનમાં આસામ રાઇફલ્સના જવાનો દ્વારા 10 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
14 મે, 2025ના રોજ શરૂ થયેલા આ ઓપરેશનમાં આસામ રાઇફલ્સના સૈનિકોએ 10 સશસ્ત્ર ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. ઓપરેશન સ્પીયર કોર્પ્સ હેઠળની યુએસ રાઇફલ્સ યુનિટ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કાર્યવાહી અંગે માહિતી આપી છે. સેનાના જણાવ્યા મુજબ ચંદેલ જિલ્લાના ન્યૂ સમતાલ ગામ નજીક ઉગ્રવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે ચોકસાઇપૂર્વક કાર્યવાહી કરી દીધી.
#IndianArmy#EasternCommand
— EasternCommand_IA (@easterncomd) May 14, 2025
Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, #Chandel District near the #Indo_MyanmarBorder, #AssamRifles unit under #SpearCorps launched an operation on 14 May 2025.
During the operation,… pic.twitter.com/KLgyuRSg11
જાણવા જેવી વિગતો
ઓપરેશન સ્થળ: ખેંગજોય, ચંદેલ જિલ્લા, મણિપુર
સરહદ: ભારત-મ્યાનમાર સરહદ
મૃત્યુ પામેલા ઉગ્રવાદીઓની સંખ્યા: 10
ઓપરેશન તારીખ: 14 મે, 2025
સંચાલક યુનિટ: આસામ રાઇફલ્સ
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે આવું ઓપરેશન જરૂરી બની જાય છે. ઉગ્રવાદી પ્રવૃત્તિઓના દમન માટે આવનારા દિવસોમાં વધુ સઘન શોધખોળ ચાલી શકે છે.





