PM-Kisan Yojana: દેશના કરોડો ખેડૂતો માટે આજે મોટી રાહતના સમાચાર છે. પ્રધાનમંત્રી Narendra Modi આજે Pradhan Mantri Kisan Samman Nidhi Yojanaની 22મો હપ્તો જાહેર કરશે. આસામના Guwahatiમાં યોજાનારા કાર્યક્રમ દરમિયાન આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ હપ્તો હેઠળ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹2000-₹2000 સીધા ટ્રાન્સફર થશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ મળીને લગભગ ₹18,000 કરોડથી વધુની રકમ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ પગલાથી દેશભરના નાના અને સીમંત ખેડૂતોને મોટી આર્થિક મદદ મળશે.
મહિલા ખેડૂતોને પણ મળશે મોટો લાભ
આ યોજનાનો લાભ માત્ર પુરુષ ખેડૂતોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ મળે છે. સરકારના જણાવ્યા મુજબ આ કિસ્ત હેઠળ 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોના બેંક ખાતામાં પણ ₹2000 જમા થશે. આથી ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ખેતીમાં તેમની ભાગીદારી વધુ વધશે.DBT દ્વારા સીધા ખાતામાં જમા થશે રૂપિયા PM-Kisan યોજના હેઠળ ખેડૂતોને મળતી સહાય Direct Benefit Transfer (DBT) પદ્ધતિ દ્વારા સીધી બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ પદ્ધતિથી મધ્યસ્થીઓની ભૂમિકા સમાપ્ત થાય છે અને ખેડૂતોને સંપૂર્ણ રકમ પારદર્શક રીતે મળે છે.
દર વર્ષે મળે છે ₹6000 સહાય
PM-Kisan યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન કિસ્તોમાં (₹2000-₹2000) સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમથી ખેડૂતો બીજ, ખાતર અને ખેતી સંબંધિત અન્ય ખર્ચ પૂરા કરી શકે છે.
લાભ મેળવવા માટે જરૂરી શરતો
યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. તેમાં આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું, e-KYC પૂર્ણ કરેલું હોવું અને જમીનનો રેકોર્ડ સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલો હોવો જરૂરી છે. જો આ શરતો પૂર્ણ ન કરવામાં આવે તો કેટલીક વખત ખેડૂતોની કિસ્ત અટકી શકે છે. સરકારે કરેલા વેરિફિકેશન દરમિયાન લગભગ 1 કરોડથી વધુ અપાત્ર લાભાર્થીઓના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેથી યોજનાનો લાભ માત્ર પાત્ર ખેડૂતો સુધી જ પહોંચે.




















