9 માર્ચ 1951... રુત વસંતનો સમય હતો અને વાતાવરણ રંગીન હતું. કારણ એ હતું કે, ઉસ્તાદ અલ્લાહરખા કુરેશી આ દિવસે પિતા બન્યા હતા. તેની પત્નીએ સ્વર્ગના દેવદૂત જેવા બાળકને જન્મ આપ્યો હતો. માતા-બાળકની રીતરિવાજો બાદ બીજા દિવસે બાળકને પિતાના ખોળામાં આપવામાં આવ્યું હતું. રિવાજ મુજબ પિતાએ બાળકના કાનમાં કેટલાક આશીર્વાદ જેવા શબ્દો બોલવાના હતા. જેમ કે, 'ખૂબ નામ કમાઓ - સ્વસ્થ રહો કે એવું કંઈક... પણ ઉસ્તાદ સાહેબે બાળકના કાનમાં બોલવાનું શરૂ કર્યું, 'ધાતી ધાગે નાધા તિરકિટ ધાતી ધાગે ધીના ગિના, તાતી તાકે નતા તિરકી ધાતિ ધાગે ધિના ગિના'.
તબલાના શાસ્ત્રમાં તેને લયનો નિયમ કહવામાં આવે છે. આ તીનતાલનો કાયદા છે, જેની સૂર તબલા વગાડતી વખતે વાદક દ્વારા ગાય છે. ઉસ્તાદ અલ્લાહરખા કુરેશી જેઓ તેમના સમયના પ્રખ્યાત તબલાવાદક પણ હતા, તેમણે તેમના દોઢ દિવસના પુત્રના કાનમાં તબલાના આ શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું માત્ર તબલાની જ પૂજા કરું છું, આ એકમાત્ર પૂજા છે જેને હું જાણું છું અને આ મારા આશીર્વાદ પણ છે. ઉસ્તાદ અલ્લાહરખા કુરેશીના આ પુત્રની ઓળખ ઝાકિર હુસૈન નામથી થઈ હતી અને કદાચ જન્મ સમયે તેમના કાનમાં જે 'મંત્ર જેવો તાલ' ફૂંકાયો હતો તે જ તેમના જીવનની સૌથી મોટી ઓળખ બની ગઈ. 90ના દાયકામાં ઘરે-ઘેર બનાવી ઓળખ 90માં જન્મેલા લોકોના મનમાં દૂરદર્શનની જે યાદો હજુ પણ જીવંત છે, તેમાં બે બાબતો ખાસ છે, પહેલું તે અમર ગીત 'મિલે સુર મેરા તુમ્હારા' અને બીજું, ઘણી યાદગાર જાહેરાતો. તે દિવસોમાં એક ચાની જાહેરાત ખૂબ જ પ્રખ્યાત હતી. યમુના નદીનો કિનારો તાજમહેલની પૃષ્ઠભૂમિ અને 'મોહબ્બત કી નિશાની'ની સામે બેઠેલો એક યુવક જેની આંગળીઓ તબલાઓ પર થિરકતી હતી, તેના વાળ પણ એ જ ગતિએ લહેરાતા હતા અને પવન સાથે વાત કરી રહ્યા હતા, કેવું અદ્ભુત હતું. આ જાહેરાત ભલે ચાની હોય પરંતુ ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબ તેના દ્વારા દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયા. જો કે, વૈશ્વિક મંચ પર તેઓ પહેલેથી જ એક અલગ ઓળખ બનાવી ચૂક્યા હતા, પરંતુ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોમાં આ એક કલાકારની સ્વીકૃતિ હતી. લાંબા વાળવાળા બાળકો વાસણો વગાડીને અને ખૂબ નાચતા ઉસ્તાદ સાહેબની નકલ કરતા. પરિવાર તેને અશુભ માનતા હતો હવે વિચારો કે જે માણસ દરેક ઘરમાં આટલો ફેમસ થઈ ગયો હતો, તેને પોતાના જ ઘરમાં જન્મથી જ ઇગ્નોર કરવામાં આવતો હતો. એમ કહેવું કે તેને અવગણવામાં આવ્યો હતો, તેને સરળ રીતે કહીએ તો તેના પરિવારના સભ્યો તેને અશુભ માનતા હતા. ઉસ્તાદ સાહેબે પોતે લેખિકા નસરીન મુન્ની કબીરનું પુસ્તક 'ઝાકિર હુસૈન - અ મ્યુઝિકલ લાઈફ'માં તેમના જીવન વિશે આ હકીકત શેર કરી હતી. પુસ્તક અનુસાર, તે કહે છે કે 'મારા જન્મના સમયથી મારા પિતા હૃદયની બિમારીથી પીડાતા હતા અને તેમની તબિયત ઘણીવાર ખરાબ રહેતી હતી. બીજી તરફ આ સમય દરમિયાન અમારા ઘરમાં થોડો ખરાબ સમય પણ શરૂ થઈ ગયો હતો. માતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી અને આવી સ્થિતિમાં કોઈએ તેમના કહ્યુ કે, આ બાળક બહુ અશુભછે. તે કહે છે, 'અમ્મીએ આ સ્વીકાર્યું અને મને દૂધ પીવડાવ્યું નહીં. મારા પરિવારના એક નજીકના મિત્રએ પણ મારા ઉછેરની જવાબદારી લીધી. તે મારા માટે સરોગેટ માતા જેવી હતી. બાળપણ દુઃખમાં વીત્યું જો એક દિવસ જ્ઞાાની બાબા અચાનક ઘરે ન આવ્યા હોત તો તેમનું જીવન આ રીતે જ ગુજર્યું હોત. ઝાકિર હુસૈન કહે છે કે, 'જ્ઞાની બાબા અચાનક આવ્યા અને અમ્મીને કહ્યું કે, આ બાળક માટે ચાર વર્ષ મુસીબતોથી ભરેલા છે. તેની ખૂબ કાળજી લો. આ તમારા પતિને બચાવશે અને તેનું નામ ઝાકિર હુસૈન રાખજો. મને ખબર નથી કે જ્ઞાની બાબાના શબ્દોમાં એવો કયો જાદુ હતો કે અમ્મીએ મારી સંભાળ લેવાનું શરૂ કર્યું, પણ મારી અસલી મુસીબતો તો શરૂ થઈ ગઈ હતી. હું હંમેશા બીમાર રહેતો હતો. ક્યારેક મને ટાઈફોઈડ તો ક્યારેક મારા શરીર પર ફોલ્લીઓ થઈ રહેતી હતી, એક વાર મેં ભૂલથી કેરોસીન પી લીધું. આવી સમસ્યાઓ આવતી રહેતી હતી. રસપ્રદ વાત એ છે કે હું જેટલો બીમાર થતો ગયો તેટલો જ મારા પિતાની સ્થિતિમાં સુધારો થતો ગયો. પછી ચાર વર્ષ પછી, જેમ કે જ્ઞાની બાબાએ કહ્યું હતું કે, હું અને મારા પિતા બન્ને સાજા થઈ ગયા. ત્યારબાદ મારું નામ બદલીને ઝાકિર હુસૈન રાખવામાં આવ્યું. પરિવારના નામ મુજબ, તે કુરેશી હોવો જોઈએ. ખેર, આ બધી બાળપણના અંગત જીવનની વાતો હતી. આ પછી જ્યારે ઉસ્તાદ સાહેબ તબલાની દુનિયામાં મગ્ન થયા ત્યારે તેમણે પાછું વળીને જોયું નથી, તેમની ખાસ વાત એ છે કે તેમણે તબલાને તેના પરંપરાગત શાસ્ત્રોમાંથી બહાર કાઢીને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી. ભારતીય તબલા અને અમેરિકન જાઝને સાથે લઈને તેમણે કરેલો પ્રયોગ સંગીત અને તાલ શાસ્ત્રની દુનિયામાં ખૂબ જ સન્માનિત નજરથી જોવામાં આવે છે. એટલું જ નહીં, અદ્વિતીય પણ માનવામાં આવે છે.




















