પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં વૈશ્વિક વસ્તી અંગે મોટો ખુલાસો થયો છે. આ મુજબ, ઈસ્લામ આગામી 35 વર્ષમાં ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ધર્મ બની શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, મુસ્લિમ વસ્તી 2015માં 1.8 અબજથી વધીને 2060 સુધીમાં 3 અબજથી વધુ થઈ જશે. અહેવાલ મુજબ, મુસ્લિમ વસ્તીમાં વધારા પાછળ ઘણા મુખ્ય કારણો છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના 2010ના અહેવાલ મુજબ, વિશ્વની 34% મુસ્લિમ વસ્તી 15 વર્ષથી ઓછી ઉંમરની હતી. જોકે, તે પછી મુસ્લિમ મહિલાઓના સરેરાશ પ્રજનન દરમાં સતત વધારો થયો અને વસ્તી ઝડપથી વધવા લાગી.
મુસ્લિમ મહિલાઓનો સરેરાશ પ્રજનન દર 3.1 છે, જ્યારે ખ્રિસ્તી મહિલાઓનો પ્રજનન દર 2.7 છે. આ દર વૈશ્વિક સરેરાશ કરતા ઘણો વધારે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇસ્લામ છોડીને જતા લોકોની સંખ્યા ઓછી છે, જ્યારે તેમાં જોડાવાનો દર સતત વધી રહ્યો છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, 2015માં ઇસ્લામના અનુયાયીઓની વસ્તી 1.8 અબજ હતી, જે 2060માં વધીને 3 અબજ થઈ જશે. આ રીતે 70 ટકાનો વધારો થશે. બીજી બાજુ, 2015 માં ખ્રિસ્તીઓની વસ્તી 2.3 અબજ હતી.
પ્યુ રિસર્ચ રિપોર્ટ મુજબ, 2015 માં ભારતમાં મુસ્લિમ વસ્તી કુલ વસ્તીના 14.9% હતી. જોકે, આ વસ્તી 2060 સુધીમાં વધીને 33 કરોડ થવાનો અંદાજ છે.
2060 સુધીમાં ખ્રિસ્તી વસ્તી ૩૪ ટકા વધશે, જ્યારે હિન્દુ વસ્તી માત્ર ૨૭ ટકા વધવાની ધારણા છે, જે વૈશ્વિક વસ્તી વૃદ્ધિ સરેરાશ કરતાં વધુ છે. હાલમાં, ખ્રિસ્તીઓ અને હિન્દુઓ વિશ્વની વસ્તીના અનુક્રમે 34 અને 15 ટકા છે.





