Will Mahendra Singh Dhoni retire from IPL: કરોડો ક્રિકેટ ચાહકોનો મનગમતો સિતારો હવે નહીં દેખાય મેદાનમાં? શું હવે ક્રિકેટના શોર્ટ ફોર્મેટમાં પણ નહીં જોવા મળે થાલા? અમે વાત કરી રહ્યાં છીએ મહેન્દ્ર સિંહ ધોનીની. એવી ચર્ચા વહેતી થઈ છેકે, એમએસ ધોની હવે આઈપીએલમાંથી સન્યાસ લેવાની તૈયારીમાં છે. જ્યારે બીજી તરફ ધોનીની આઈપીએલની ટીમ પોતાની ટીમમાં રાજસ્થાનના એક ખેલાડીને સામેલ કરવા આતુર બની છે.
ક્રિકેટની દુનિયામાં હાલ એવી ચર્ચા છેકે, ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ લેશે. ત્યારે સીએસકે રાજસ્થાનના આ ખેલાડી પર દાવ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025 સીઝન માટે ₹18 કરોડમાં રિટેન કર્યો હતો. સીએસકેએ રુતુરાજ ગાયકવાડને પણ એટલી જ રકમમાં રિટેન કર્યો છે, તેથી એવું માનવામાં આવે છે કે જો ટ્રેડ થાય છે, તો તે સમાન ડીલ હોઈ શકે છે.
આઈપીએલ 2026 સીઝન પહેલા ટૂંક સમયમાં ટ્રેડિંગ વિન્ડો ખુલવા જઈ રહી છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) રાજસ્થાન રોયલ્સ (આરઆર) ના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન પર નજર રાખી રહી છે. જોકે બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે હજુ સુધી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી, પરંતુ CSKના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તેઓ સેમસનને તેમની ટીમમાં સમાવવામાં રસ ધરાવે છે. આ ચર્ચા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે CSKના કેપ્ટન એમએસ ધોનીની આગામી સિઝનમાં રમવાની આશા હજુ સ્પષ્ટ નથી.
CSKએ રસ દર્શાવ્યો:
ક્રિકબઝ સાથે વાત કરતા, CSKના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'અમને ચોક્કસપણે સંજુમાં રસ છે. તે એક ભારતીય બેટ્સમેન છે, જે કીપર અને ઓપનર પણ છે. જો તે ઉપલબ્ધ થશે, તો અમે ચોક્કસપણે તેને અમારી ટીમમાં સમાવવાના વિકલ્પ પર વિચાર કરીશું.' જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વેપાર કયા ખેલાડીના બદલામાં થશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.





















