Who will next Chief Minister of Bihar: બિહારના રાજકારણમાં હોળીના પર્વે મોટો હડકંપ મચ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની એક ટ્વીટે લાખો કાર્યકરોમાં ચિંતા ઉભી કરી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતે રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે જો નીતીશ કુમાર રાજ્યસભાના રસ્તે દિલ્હી જવાના હોય તો બિહારની કમાન કોણ સંભાળશે અને કોણ બનશે બિહારના નવા મુખ્યમંત્રી આ સવાલ સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે.
એક સવાલ એ પણ થાય છેકે, શું હવે બિહારના આગામી સીએમ ભાજપમાંથી હશે? બીજી તરફ નીતીશ કુમારના પુત્રને પણ બિહારમાં ડેપ્યુટી સીએમ નું પદ મળે એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. હાલ આ ચર્ચાઓને કારણે બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરનાં સંકેતો મળી રહ્યાં છે. નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જાય તો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અલગ અલગ અટકળો વહેતી થઈ છે.
બિહારના રાજકારણમાં હોળીના તહેવાર વચ્ચે જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સત્તાનું સમીકરણ બદલાવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. જેડીયુ (JDU) ના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે બિહારનું રાજકારણ છોડીને દિલ્હી તરફ પ્રયાણ કરી શકે છે. સીએમનું પદ છોડીને નીતીશ કુમાર હવે રાજ્યસભામાં એન્ટ્રી કરે તેવી સંભાવના પ્રબળ બની છે. પોતે ખુરશી છોડીને પોતાના પુત્રને રાજકીય વારસો આપવા નીતીશ કુમાર પ્રયાસ કરી રહ્યાં હોય તે પણ સ્પષ્ટ થાય છે.
નીતીશ કુમાર રાજ્યસભામાં જશે?
લાંબા સમયથી બિહારની કમાન સંભાળનારા નીતીશ કુમાર હવે રાજ્યસભાના માર્ગે દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો છે. જોકે, આ નિર્ણયથી જેડીયુના કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને કેટલાંક સ્તરે વિરોધ પણ શરૂ થયો છે. નીતીશ કુમારના દિલ્હી જવાના નિર્ણયની સાથે જ બિહારમાં 'નવા મુખ્યમંત્રી કોણ?' તે પ્રશ્ન સૌથી મોટો બની ગયો છે.
શું મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જશે?
બિહાર વિધાનસભામાં અત્યારે NDA ગઠબંધન પાસે 202 બેઠકોનું મજબૂત સંખ્યાબળ છે, જેમાં:
BJP: 89 બેઠકો
JDU: 85 બેઠકો
LJP (RV): 19 બેઠકો
HAM: 5 બેઠકો
RLM: 4 બેઠકો
નવા સમીકરણો મુજબ, જો નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ ત્યાગે તો મુખ્યમંત્રી પદ ભાજપને ફાળવવામાં આવી શકે છે. બદલામાં જેડીયુ (JDU) ને બે ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. અત્યાર સુધી ભાજપ પાસે ડેપ્યુટી સીએમ પદ હતું, પરંતુ હવે સત્તાની ફોર્મ્યુલા ઉલટાઈ શકે તેમ છે.
મુખ્યમંત્રીની રેસમાં આ 5 ચહેરાઓ સૌથી આગળઃ
બિહારના નવા મુખિયા બનવા માટે ભાજપ અને ગઠબંધન સ્તરે પાંચ નામો પર મંથન ચાલી રહ્યું છે, જેમાં બે નામ સૌથી મજબૂત માનવામાં આવે છે:
નિત્યાનંદ રાય: ભાજપ હાઈકમાન્ડના અત્યંત વિશ્વાસુ ગણાતા નિત્યાનંદ રાય આ રેસમાં સૌથી આગળ છે. ચૂંટણીમાં ટિકિટ ફાળવણી અને સાથી પક્ષો સાથેના તાલમેલમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે.
સમ્રાટ ચૌધરી: વર્તમાન ડેપ્યુટી સીએમ અને બિહારના ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. પક્ષમાં તેમનું કદ સતત વધી રહ્યું છે.
કોણ બનશે બિહારના નવા મુખ્યમંત્રી? આ પાંચ નામો સૌથી વધુ ચર્ચામાંઃ
1) Samrat Chaudhary
2) Nityanand Rai
3) Vijay Sinha
4) Dilip Jaiswal
5) Sanjeev Chaurasia
હોળીના પર્વે બિહારના રાજકારણમાં આવેલો આ વળાંક આગામી દિવસોમાં દેશના રાજકારણ પર પણ મોટી અસર કરી શકે છે. નીતીશ કુમારનું દિલ્હી ગમન અને ભાજપના સીએમની વરણી બિહારમાં નવા યુગની શરૂઆત કરી શકે છે.



















