રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે (19 એપ્રિલ, 2025) એક મોટી જાહેરાત કરી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત રશિયા-યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટરના અવસર પર યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
ક્રેમલિનમાં એક મીટિંગ દરમિયાન, પુતિને રશિયાના સશસ્ત્ર દળોના ચીફ ઑફ ધ જનરલ સ્ટાફ, વેલેરી ગેરાસિમોવ દ્વારા સંપર્કની લાઇન પરની પરિસ્થિતિ વિશેનો અહેવાલ સાંભળ્યો અને જાહેરાત કરી કે રશિયન બાજુ 06:00 (મોસ્કો સમય) (19 એપ્રિલ:02000)થી (19 એપ્રિલ) સુધી તમામ લશ્કરી કાર્યવાહી અટકાવી રહી છે.
'માનવતાના ધોરણે યુદ્ધવિરામ જાહેર કરાયો'
વ્લાદિમીર પુતિને ઇસ્ટરને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે યુક્રેન પણ આવું જ કરશે. તેમણે વધુમાં કહ્યું કે અમે સૈનિકોને કોઈપણ સંભવિત જોખમ અંગે ચેતવણી આપી છે, જો દુશ્મન દ્વારા યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અમારા સૈનિકો જડબાતોડ જવાબ આપશે.





