Home Sports Virat Kohli Rare Hamstring Tendon Injury Update

વિરાટ કોહલીને સામાન્ય હેમસ્ટ્રિંગ ઈજા નહીં પણ...! : સ્કેન રિપોર્ટ જોઈને ડૉક્ટર્સ પણ ચોંક્યા, કરોડો ચાહકો ચિંતામાં

Virat Kohli
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 05, 2026, 09:53 AM IST

Virat Kohli's injury : ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન અને કરોડો ચાહકોના દિલની ધડકન વિરાટ કોહલીના ફેન્સ માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ રોમાંચક અંદાજમાં પૂરી થયેલી IPLની ફાઇનલ મેચ દરમિયાન વિરાટ કોહલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. BCCIના આધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈજાના કારણે તેઓ અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી વનડે સિરીઝમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે. સામાન્ય રીતે ક્રિકેટ કે અન્ય કોઈ પણ આઉટડોર રમતમાં ખેલાડીઓને હેમસ્ટ્રિંગ એટલે કે સાથળના સ્નાયુ ખેંચાવાની સમસ્યા થતી જ હોય છે પરંતુ વિરાટ કોહલીના મેડિકલ સ્કેન રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તેણે રમત જગતના નિષ્ણાતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે કોહલીને સામાન્ય સ્નાયુ ખેંચાણ નથી થયું પરંતુ એક અત્યંત અસામાન્ય અને દુર્લભ ઈજા થઈ છે જે વિશ્વના ટોચના ફિટ રમતવીરોમાં પણ ભાગ્યે જ જોવા મળે છે.

ઈજાનો પ્રકાર

તબીબી ભાષામાં સમજીએ તો વિરાટ કોહલીના સ્કેન રિપોર્ટમાં ડિસ્ટલ સેમીમેમ્બ્રેનોસસ ટેન્ડન ટીયર હોવાનું સામે આવ્યું છે. આ નામ સાંભળવામાં જેટલું અઘરું છે તેનો પ્રકાર પણ એટલો જ જટિલ છે. આપણા સાથળના પાછળના ભાગમાં મુખ્ય ત્રણ સ્નાયુઓ આવેલા હોય છે જેને સામૂહિક રીતે હેમસ્ટ્રિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ખેલાડીને હેમસ્ટ્રિંગની ઈજા થાય ત્યારે તે થાપાની નજીક અથવા સાથળની ઉપરની બાજુએ સ્નાયુના મધ્ય ભાગમાં થતી હોય છે. પરંતુ વિરાટ કોહલીના કિસ્સામાં આ ઈજા સાથળના નીચેના ભાગમાં થઈ છે જ્યાં આ સ્નાયુનું જાડું કંડરા એટલે કે ટેન્ડન ઘૂંટણની બરાબર નીચે નળાના હાડકા સાથે જોડાય છે. ઘૂંટણની અંદરની બાજુએ આવેલા આ મજબૂત કંડરામાં મોટો ચીરો પડવો અથવા તે ફાટી જવું એ એક ગંભીર બાબત છે અને આ જ કારણે સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાતો આ નિદાનને સામાન્ય ઈજા કરતા સાવ અલગ માની રહ્યા છે.

કોહલી બાદ હવે રોહિત પણ વનડે સિરીઝમાંથી OUT!: એક જ પ્રકારની ઈજા બે સ્ટાર ખેલાડીઓને શું આ સંયોગ છે કે ષડયંત્ર?

દુર્લભ હોવાનું કારણ

રમતવીરોના શરીરમાં ઘૂંટણની નજીક આવેલું આ ડિસ્ટલ સેમીમેમ્બ્રેનોસસ ટેન્ડન કુદરતી રીતે જ અત્યંત મજબૂત અને ટકાઉ બનાવટ ધરાવે છે જેથી તે મોટા આંચકા સહન કરી શકે. જ્યારે કોઈ પણ ખેલાડી મેદાન પર ઝડપથી દોડે છે લાંબી છલાંગ લગાવે છે કે અચાનક પોતાની ગતિ વધારે છે ત્યારે સાથળના ઉપરના ભાગના સ્નાયુઓ પર સૌથી વધુ દબાણ કે ખેંચાણ બળ આવતું હોય છે. આથી જ ઉપરનો ભાગ જલ્દી ઇજાગ્રસ્ત થાય છે જ્યારે ઘૂંટણની નીચેના આ ભાગ પર આવો અતિશય ભાર સામાન્ય સંજોગોમાં ક્યારેય આવતો નથી. તબીબી નિષ્ણાતોના મતે આ મજબૂત કંડરા કોઈ એક સામાન્ય ઘટના કે એક આંચકાથી ક્યારેય ફાટતું નથી. આ પ્રકારની ગંભીર ઈજા ત્યારે જ થાય છે જ્યારે મેદાન પર અત્યંત આક્રમક હલનચલન અચાનક દોડતા દોડતા બ્રેક મારવી એટલે કે ગતિ ધીમી કરવી લાંબી ટૂર્નામેન્ટના કારણે સ્નાયુઓમાં રહેલો અતિશય થાક અને લાંબા સમય સુધી શરીર પર પડેલું સતત કામનું ભારણ આ બધા નકારાત્મક પરિબળો એકસાથે ભેગા થાય છે.

ઉંમરની અસર

વિરાટ કોહલી હાલમાં તેમના ત્રીસના દાયકાના અંતિમ વર્ષોમાં ચાલી રહ્યા છે અને આખી દુનિયા જાણે છે કે ફિટનેસના મામલામાં તેઓ યુવાન ખેલાડીઓને પણ પાછળ છોડી દે તેવા સક્ષમ છે. જોકે ડૉક્ટરોનું કહેવું છે કે સ્નાયુ કે કંડરા ફાટવાની આ સમસ્યા સીધી રીતે માત્ર વધતી ઉંમરના કારણે જ થાય છે તેવું બિલકુલ નથી ખાસ કરીને વિરાટ કોહલી જેવા અત્યંત ફિટ માણસ માટે તો નહીં જ. તેમ છતાં બાયોલોજિકલ એટલે કે જૈવિક દ્રષ્ટિએ જોઈએ તો જેમ જેમ ઉંમર 30 વર્ષ વટાવી જાય છે તેમ તેમ માનવ શરીરમાં કંડરાની કુદરતી સ્થિતિસ્થાપકતા તેમાં રહેલું હાઇડ્રેશન અને કોલેજનની ગુણવત્તામાં ધીમે ધીમે થોડો ઘટાડો થવા લાગે છે. આ સિવાય સતત રમવાના કારણે સ્નાયુઓમાં જે નાના મોટા આંતરિક ઘસ્યારા થતા હોય છે તેમાંથી સાજા થવાની શરીરની ઝડપ પણ ઉંમર સાથે થોડી ધીમી પડી જાય છે. પરિણામે એક લાંબી અને થકવી નાખનારી ક્રિકેટ સીઝન દરમિયાન જ્યારે વારંવાર દોડવાનું વળાંક લેવાનું અને આક્રમક ફિલ્ડિંગ કરવાનું આવે ત્યારે 20 વર્ષના યુવાન ખેલાડીની સરખામણીએ મોટી ઉંમરના ખેલાડીના સ્નાયુઓ અચાનક આવતા આવા ભારે લોડને સહન કરવામાં થોડા ઓછા સક્ષમ સાબિત થાય છે અને ઈજાનું જોખમ વધી જાય છે.

ડાયમંડ લીગ ડેબ્યૂમાં રૂમેશ પાથિરાજે રચ્યો ઇતિહાસ: રોમમાં થયો એવો થ્રો કે નીરજ ચોપરાનો રેકોર્ડ પણ રહી ગયો પાછળ

સાજા થવાનો સમય

વિરાટ કોહલી ફરી ક્યારે મેદાન પર બેટિંગ કરતાં જોવા મળશે તેનો આખો આધાર આ સ્નાયુ કેટલા પ્રમાણમાં ફાટ્યો છે તેની તીવ્રતા પર રહેલો છે. તબીબી સારવારના નિયમો મુજબ જો આ કંડરામાં નાની કે હળવી ઈજા થઈ હોય તો તે યોગ્ય આરામ અને કાળજી રાખવાથી માત્ર થોડા જ અઠવાડિયામાં આપોઆપ મટી જાય છે. પરંતુ જો સ્નાયુમાં મધ્યમ સ્તરનો આંશિક ચીરો પડ્યો હોય તો તેના પુનર્વસન એટલે કે ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનની પ્રક્રિયામાં ઓછામાં ઓછા છ થી બાર અઠવાડિયા જેટલો લાંબો સમય લાગી શકે છે. આનાથી પણ વધુ ગંભીર સ્થિતિ ત્યારે બને છે જ્યારે આ કંડરા હાડકાથી સંપૂર્ણપણે અલગ થઈ જાય કે આખું ફાટી જાય કારણ કે તેવા સંજોગોમાં સર્જરી કરાવવી ફરજિયાત બની જાય છે અને ખેલાડીને સંપૂર્ણ સાજા થઈને મેદાન પર પાછા ફરવામાં ઘણા મહિનાઓનો સમય નીકળી જાય છે. હાલના તબક્કે BCCIની મેડિકલ ટીમે વિરાટ કોહલીને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે અને ટૂંક સમયમાં જ તેમની ઈજા કયા ગ્રેડની છે તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now