Ujjain violence: મધ્યપ્રદેશના જિલ્લાના તરાના વિસ્તારમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ગુરુવારે રાત્રે શરૂ થયેલો વિવાદ શુક્રવારે જુમ્માની નમાજ પછી તીવ્ર હિંસામાં ફેરવાઈ ગયો, જેમાં તોફાનીઓએ અનેક ઘરો પર પથ્થરમારો કર્યો અને બસને આગ લગાવી દીધી.
એક દુકાનમાં આગ લાગવાની ઘટનાએ અફવાઓ ફેલાવી
શુક્રવારે બપોરે નમાજ પછી પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ. અહેવાલ મુજબ, એક દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાએ અફવાઓ ફેલાવી દીધી કે અજાણ્યા લોકોએ જાણીજોઈને આગ લગાવી છે. આ અફવાઓએ વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો. ત્યારબાદ તોફાનીઓએ અનેક સ્થળોએ પથ્થરમારો શરૂ કર્યો, જેના વીડિયો પણ સામે આવ્યા છે.
પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે
કેટલીક બસોને આગ લગાવવામાં આવી અને ઘરો પર પણ હુમલા કરાયા. પથ્થરમારામાં એક યુવાન ઘાયલ થયો છે. પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ છે અને પોલીસે ભારે દળ તૈનાત કર્યું છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





















