જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ 3 નંબર તમારા મોબાઈલમાં કાયમ માટે સેવ કરી લો. આ 3 નંબર તમારી યાત્રાને વધુ સારી બનાવી શકે છે. આ નંબરો થકી તમે વોટ્સએપ મારફતે જ ભોજન, ડોક્ટરની સેવા અને ટિકિટ બુકિંગનો ઓર્ડર આપી શકો છો.
રેલવે ભારતની લાઈફલાઈન છે, અને તમામ વર્ગના લોકો ટ્રેનમાં સૌથી વધારે મુસાફરી કરે છે. જો તમારા મોબાઈલમાં 3 નંબર સેવ હોય તો તમારી રેલવેની મુસાફરી લાભદાયી નીવડશે. આ ત્રણ વોટ્સએપ નંબર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આમાં ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી લઈને ટ્રેનમાં બેસીને ખાવાનું મંગાવવા સુધી કે તબિયત ખરાબ થવા પર ડોક્ટરને બોલાવવા સુધીનું બધું જ કામ વ્હોટ્સએપ મેસેજથી જ થઈ જશે. આ 3 નંબરોની વિગતો જાણો અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તે વિશે અહીં વિગતો છે . જુઓ પછી કેવી રીતે તમારી ટ્રેનની સફર ચિંતામુક્ત બની જશે.
ખૂબ કામ આવશે આ 3 નંબર
9881193322: જો તમે માત્ર WhatsApp દ્વારા જ ટ્રેનની ટિકિટ બુક કરાવવા માંગતા હોવ તો આ નંબર તમારા ફોનમાં સેવ કરો. તમે આ નંબર પરથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. તમે ટ્રેનનું PNR સ્ટેટસ ચેક કરી શકો છો. તમે ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકો છો. આ સિવાય તમે ટ્રેનનું સમયપત્રક વગેરે પણ ચેક કરી શકો છો.
8750001323: જો તમને ટ્રેનમાં બેસીને ભૂખ લાગે છે, તો ચિંતા કરશો નહીં, તમે તમારી સીટ પર બેસીને તમારું ભોજન મંગાવી શકો છો. આ માટે તમારે આ નંબરને તમારા ફોનમાં સેવ કરવાનો રહેશે. આ પછી વોટ્સએપ પર મેસેજ કરવાનો રહેશે. ઓનસ્ક્રીન આવનારા સૂચનો અને સવાલોનો જવાબ આપીને ફૂડ ઓર્ડર કરી શકો છો.
138: જો તમે અથવા અન્ય કોઈ વ્યક્તિ ટ્રેનમાં બીમાર પડી જાય, તો તમે આ નંબર દ્વારા ડૉક્ટરની સેવા મેળવી શકો છો. તમને આગામી સ્ટેશન પર ડૉક્ટરોની ટીમ મળશે. જે તમારી જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર તમારી સારવાર કરશે.
ત્રણેય નંબર સેવ કર્યા બાદની પ્રક્રિયા
આ નંબરો સેવ કર્યા પછી તમારે વોટ્સએપ પર ચેટ સેક્શનમાં જઈને 'Hi' મેસેજ મોકલવો પડશે. આ પછી તમને સેવા વિકલ્પનો મેસેજ મળશે. તેમાંથી તમને જોઈતી સેવા પસંદ કરો. તમારે સ્ક્રીન પરની સૂચનાઓનું પાલન કરવું પડશે, આ પછી તમારું કાર્ય પૂર્ણ થઈ જશે. પહેલા બે નંબર પર તમને વોટ્સએપ મેસેજથી મદદ મળશે અને ત્રીજા નંબર પર તમારે મદદ માટે ડાયલ કરવું પડશે.




















