ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ટૂંક સમયમાં પરમાણુ ક્ષમતા સંબંધિત પરીક્ષણ શરૂ કરી શકે છે. આ નિવેદન બહાર આવતા જ મોસ્કોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને રશિયાએ ટ્રમ્પ પાસેથી સ્પષ્ટતા માંગતાં જણાવ્યું હતું કે જો અમેરિકા આવા પગલા ભરે છે તો તેઓ પણ સમાન દિશામાં ચાલશે. ટ્રમ્પે 29 Octoberની જાહેરાતમાં પરીક્ષણ કઈ રીતથી થશે તેની કોઈ વિગતો આપી નહોતી.
ટ્રમ્પે આ પરીક્ષણને વૈશ્વિક સ્થિરતા માટેનું પગલું ગણાવ્યું છે. અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો માને છે કે પરીક્ષણ ભૂગર્ભ સ્તરે થઈ શકે છે. બીજી તરફ, Comprehensive Test Ban Treaty Organizationએ ચેતવણી આપી છે કે યુએસ પરમાણુ પરીક્ષણ કરશે તો વૈશ્વિક સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. ભારત CTBTOનો સભ્ય નથી.
ભારત માટે પ્રશ્નો કેમ ઊભા થાય છે
ભારતે છેલ્લે 1998માં ‘ઓપરેશન શક્તિ’ હેઠળ સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી પોતાને પરમાણુ-સક્ષમ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે. જો કે, ભારત CTBTO સાથે જોડાયેલું નથી, તેથી પરીક્ષણ પર કોઈTreaty-based બાંધછોડ નથી. તેમ છતાં, રાજનૈતિક અને આર્થિક પરિણામો મહત્વના બની શકે છે.
2008નો ઇન્ડિયા–US ન્યૂક્લિયર એગ્રીમેન્ટ એક મુખ્ય મુદ્દો
વર્ષ 2008માં ભારત અને અમેરિકાએ નાગરિક પરમાણુ સહકાર કરાર કર્યો હતો. આ કરારના માળખા મુજબ, ભારત જો ફરી પરમાણુ પરીક્ષણ કરે છે, તો અમેરિકા આ સોદો રદ્દ કરી શકે છે. તેની અસર તરીકે નાગરિક રિએક્ટરો માટે જરૂરી ઇંધણનો પુરવઠો અને ભવિષ્યના ન્યૂક્લિયર પ્રોજેક્ટો પર અસર પડી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અગ્નિ-5 સહિત અનેક આધુનિક મિસાઇલ સિસ્ટમોનું સફળ પરીક્ષણ કર્યું છે, જેના કારણે પરમાણુ નીતિ અને ભવિષ્યના પરીક્ષણ અંગે ચર્ચાઓ ફરી સક્રિય બની છે.
પાકિસ્તાન અને ચીનની શક્ય પ્રતિક્રિયા
ભારત ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો પડોશી દેશોની ભૂમિકા મહત્ત્વની રહેશે. ખાસ કરીને પાકિસ્તાન તરફથી પ્રતિસાદ આશ્ચર્યજનક નહીં ગણાય. સાથે ચીન સાથેના સંબંધોમાં પણ તણાવ વધી શકે છે. દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સંતુલન બદલાઈ શકે છે.
રાજનૈતિક અસર
ભારત વર્ષોથી “No First Use” નીતિનું પાલન કરે છે અને જવાબદાર પરમાણુ શક્તિ તરીકે પોતાનું છબી બનાવી છે. જો ભારત ફરી પરીક્ષણ કરે છે, તો જાપાન, ફ્રાન્સ જેવા મૈત્રીપૂર્ણ દેશો પણ અસંતોષ વ્યક્ત કરી શકે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને સમજાવટ આપવાની જરૂર પડી શકે છે.
આર્થિક જોખમો પણ નોંધપાત્ર
1998ના પરીક્ષણ બાદ ભારત પર લાગેલા પ્રતિબંધો થોડા સમય જ અમલમાં રહ્યા હતા. પરંતુ આજની વૈશ્વિક વ્યવસ્થા ઘણી અલગ છે. નવા પરીક્ષણ પર ભારતને આયાત સંબંધિત નિયંત્રણો, વીમા પડકારો, વૈશ્વિક બેન્કિંગ તંત્રીમાં અડચણો અને શેરબજારમાં મોટા ફેરફારો જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.




















