લગભગ 18 વર્ષ પછી, IPLના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક એવો વીડિયો બહાર પાડ્યો છે જે પહેલાં ક્યારેય પ્રસારિત થયો નથી. આ ફૂટેજમાં 2008 માં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ મેચ પછી ભજ્જી (હરભજન સિંહ) શ્રીસંતને થપ્પડ મારતા દેખાય છે. હવે આ 'લાફા-કાંડ' ઘટના અંગે ફરી ચર્ચાઓમાં છે. મેચ પછી બંને વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના દર્શાવે છે કે ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ લાગણીઓ અને પ્રતિક્રિયાઓનું મિશ્રણ પણ છે, જે ક્યારેક નિયંત્રણ બહાર જાય છે.
આ ફૂટેજ તે સમયે સામે આવ્યું ન હતું, કારણ કે મેચ પછી મેદાન પરના કેમેરા બંધ થઈ જાય છે, પરંતુ લલિત મોદીએ તાજેતરમાં માઈકલ ક્લાર્કના પોડકાસ્ટમાં આ વીડિયો શેર કર્યો છે. લલિત મોદીએ જણાવ્યું હતું કે સુરક્ષા કેમેરાએ ઘટનાને કેદ કરી હતી, જ્યારે આ ભાગ લાઇવ ટેલિકાસ્ટમાં દેખાતો ન હતો.
થપ્પડ મારવાની સંપૂર્ણ ઘટના
આ ઘટના 2008 IPL ના શરૂઆતના દિવસોમાં બની હતી. મેચ પૂરી થયા પછી, બંને ખેલાડીઓ હાથ મિલાવવા માટે મળ્યા હતા, પરંતુ આ સમય દરમિયાન હરભજને શ્રીસંતના ગાલ પર થપ્પડ મારી હતી. આ ફટકો દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે, ખાસ કરીને જ્યારે શ્રીસંત આંસુઓ પાડતો જોવા મળ્યો હતો. આ વિવાદાસ્પદ દ્રશ્ય નાં ફક્ત ફોટા તે સમયે ઘણી વખત લાઇવ ટીવી પર બતાવવામાં આવ્યું હતું. BCCI એ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હરભજનને સસ્પેન્ડ કર્યો હતો અને તેને યોગ્ય સજા પણ મળી હતી.
સ્પષ્ટતા અને મિત્રતા
વર્ષો પછી, બંને ખેલાડીઓ સામે આવ્યા અને કહ્યું કે તેઓ મિત્રો છે અને ઘટનાને ભૂલી ચુક્યા છે. શ્રીસંતે પોતે કહ્યું હતું કે 'હરભજન મારા માટે મોટા ભાઈ જેવો છે' અને વિવાદ પછી વ્યક્તિગત સ્તરે કોઈ દ્વેષ નહોતો. તેમની મિત્રતા પાછળનું કારણ એ છે કે તેઓ મેદાન પર શું બન્યું તે શાંતિથી ભૂલી ગયા છે. તાજેતરમાં, ભજ્જીએ અશ્વિનની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે જો તેને ભૂતકાળમાં પાછા જવાની તક મળે, તો તે શ્રીસંતની ઘટના બદલવા માંગશે અને ઈચ્છશે કે તે ક્યારેય ન બને. તેને હજુ પણ શ્રીસંતને થપ્પડ મારવાનો અફસોસ છે અને તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.





















