હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ સંકટમોચન હનુમાનજીને સમર્પિત છે. હનુમાન ચાલીસાની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તો તેણે મંગળવારે વિધિપૂર્વક બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને ગ્રહ દોષ પણ દૂર થાય છે.
બજરંગ બાણના પાઠ કરવાના ફાયદા બજરંગ બાણનો પાઠ વિશેષ પરિસ્થિતિઓમાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. તેનાથી સાધકને એનર્જી, બળ અને સાહસ પ્રાપ્ત થાય છે. જે લોકો શનિ, રાહુ કે કેતુની મહાદશાથી પરેશાન હોય તેમના માટે આ પાઠ ખૂબ જ લાભદાયી છે. આ ઉપરાંત જો તમે વારંવાર બીમાર પડતા હોવ અથવા કોર્ટ કચેરીના મામલામાં ફસાયેલા હોવ તો બજરંગ બાણ તમને રક્ષણ પૂરું પાડે છે. તે નેગેટિવ એનર્જી દૂર કરીને જીવનમાં પોઝિટિવિટી લાવે છે.
પૂજા વિધિ અને નિયમો બજરંગ બાણનો પાઠ શરૂ કરતા પહેલા ગણેશજીની આરાધના કરવી જરૂરી છે. મંગળવારે સવારે સ્નાન કર્યા પછી લાલ રંગના વસ્ત્રો પહેરવા અને લાલ આસન પર બેસવું. હનુમાનજીની મૂર્તિ સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો. સૌથી મહત્વની વાત એ છે કે બજરંગ બાણનો પાઠ હંમેશા સંકલ્પ લઈને જ કરવો જોઈએ. તમારી જે પણ સમસ્યા હોય તેને દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરો અને પછી જ પાઠ શરૂ કરો.
ક્યારે કરવો પાઠ? સામાન્ય દિવસોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો પૂરતો છે, પરંતુ જ્યારે કોઈ ગંભીર સંકટ હોય ત્યારે જ બજરંગ બાણનો ઉપયોગ કરવો જોઈએ. મંગળવાર અને શનિવાર આ પાઠ માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. આ પાઠ કરતી વખતે પવિત્રતા અને બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. નાની નાની બાબતો માટે બજરંગ બાણના સોગંદ લેવા કે પાઠ કરવો વર્જિત માનવામાં આવે છે.





















