Vrushabha trailer released: સાઉથ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની આગામી પૅન-ઇન્ડિયા ફિલ્મ વૃષભાનું ટ્રેલર મંગળવારે (16 ડિસેમ્બર) કોચીમાં ગ્રાન્ડ ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મોહનલાલ એક શક્તિશાળી યોદ્ધા તેમજ આધુનિક યુગના શ્રીમંત ઉદ્યોગપતિનો ડ્યુઅલ રોલ ભજવતા જોવા મળશે, જે પુનર્જન્મ અને ભાગ્યની થીમ પર આધારિત છે. ટ્રેલરમાં બે અલગ-અલગ સમયગાળા અને દુનિયાને દર્શાવવામાં આવી છે – એક તરફ ઐતિહાસિક સામ્રાજ્યની ભવ્યતા અને યુદ્ધના દ્રશ્યો, તો બીજી તરફ આધુનિક યુગની તીવ્ર એક્શન અને ઇમોશનલ ડ્રામા.
ફિલ્મનું નિર્દેશન નંદ કિશોરે કર્યું
ટ્રેલરની ટેગલાઇન છે: "ભૂતકાળ ક્યારેય મરતો નથી, તે દરેક જન્મમાં લોહીની જેમ વહે છે." ફિલ્મ પ્રેમ, બલિદાન, પિતા-પુત્રના અટલ બોન્ડ અને ભાગ્યની શક્તિશાળી વાર્તા રજૂ કરે છે. ફિલ્મનું નિર્દેશન નંદ કિશોરે કર્યું છે, જેમણે તેને લખી પણ છે. મુખ્ય ભૂમિકાઓમાં સમરજીત લંકેશ, નયન સારિકા, રાગિણી દ્વિવેદી વગેરે છે. આ ફિલ્મ બાલાજી ટેલિફિલ્મ્સ અને કનેક્ટ મીડિયાના પ્રોડક્શનમાં બની છે.
ક્રિસમસના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ
વૃષભા 25 ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસના દિવસે વર્લ્ડવાઇડ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ મલયાલમ અને તેલુગુમાં શૂટ થઈ છે અને હિન્દી, કન્નડ સહિત અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે. ટ્રેલર જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તેને મોહનલાલની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.




















