આજે 02 ફેબ્રુઆરી છે અને વિશ્વભરમાં આ દિવસને 'વિશ્વ વેટલેન્ડ્સ ડે' (World Wetlands Day) તરીકે ઉજવવામાં આવે છે. આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડ્સ એવી જમીન છે જ્યાં કાયમી અથવા મોસમી ધોરણે પાણી જળવાયેલું હોય છે, જે એક વિશિષ્ટ પ્રકારની ઇકો સિસ્ટમનું નિર્માણ કરે છે. પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વેટલેન્ડ્સનું મહત્વ અત્યંત વધારે છે. વર્ષ 1997માં પ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં હાલ 64 જેટલા વેટલેન્ડ્સ આવેલા છે, જે પ્રકૃતિ અને માનવજાત માટે આશીર્વાદરૂપ છે.
ભારતીય ઇતિહાસના પાને દીવનું યુદ્ધ
વર્ષ 1509માં આજના દિવસે ભારતના ઇતિહાસમાં એક મહત્વની સૈન્ય ઘટના બની હતી. દીવ નજીક પોર્ટુગલ અને તુર્કીના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. આ ઉપરાંત, 1862માં શંભુનાથ પંડિત કલકત્તા હાઈકોર્ટના પ્રથમ ભારતીય ન્યાયાધીશ બનીને ઇતિહાસ રચ્યો હતો. વહીવટી સુધારા માટે પિટ્સ રેગ્યુલેટરી એક્ટ પણ 1788માં આજના દિવસે જ લાગુ થયો હતો.
સાહિત્ય અને મનોરંજન જગતની હસ્તીઓનો જન્મદિવસ
ભારતના જાણીતા પત્રકાર, લેખક અને ઇતિહાસકાર ખુશવંત સિંહની આજે જન્મજયંતિ છે. તેમણે ભારતીય સાહિત્યમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. આ સાથે જ બોલીવુડ અભિનેત્રી શમિતા શેટ્ટી, ભારતીય મહિલા હોકી ખેલાડી અનુરાધા થોકચોમ અને ફૂટબોલ પ્લેયર બાલા દેવી પણ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
2 ફેબ્રુઆરીની અન્ય મહત્વની ઘટનાઓ:
ટેનિસ રેકોર્ડ: 2004માં સ્વિસ ટેનિસ સ્ટાર Roger Federer સતત 237 અઠવાડિયા સુધી વર્લ્ડ નંબર વન રેન્કિંગ પર રહીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો.
ક્રિકેટ ઇતિહાસ: 1952માં ભારતે મદ્રાસમાં પોતાની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ જીત હાંસલ કરી હતી.
શીત યુદ્ધનો અંત: 1992માં અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ અને રશિયન પ્રમુખ બોરિસ યેલ્તસિને સત્તાવાર રીતે શીત યુદ્ધના અંતની જાહેરાત કરી હતી.
કોરોના અપડેટ: 2020માં ચીન બહાર કોરોના વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ ફિલિપાઈન્સમાં નોંધાયો હતો.
રેલવે ક્ષેત્રે પ્રગતિ: 2007માં કર્ણાટકની પ્રથમ લક્ઝરી ટ્રેન 'ગોલ્ડન રથ'ને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.





















