Home National Tmc Congress Merger Rumours Mamata Sonia Meeting Truth

TMCનું વિલય કે કારણ કંઈક બીજું જ? : સોનિયા ગાંધી અને મમતા બેનર્જીની મીટિંગ પર શું બોલી કોંગ્રેસ?

TMC Congress Merger
Published by: Viral Patel
Last Updated: Jun 11, 2026, 02:53 PM IST

TMC Congress Merger: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચાલી રહેલા ઘમાસણ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર આંતરિક વિખવાદના અહેવાલો વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચેની મુલાકાતોએ દેશનો રાજકીય પારો ગરમાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મમતા બેનર્જીએ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બે વાર મુલાકાત કરી, જ્યારે તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતો બાદ રાજકીય ગલીયારાઓમાં એવી અટકળો તેજ થઈ ગઈ હતી કે શું હવે TMCનું કોંગ્રેસમાં વિલય થવા જઈ રહ્યું છે? હવે આ તમામ દાવાઓ અને અફવાઓ પર કોંગ્રેસ પક્ષ તરફથી અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે.

NEET વર્ષમાં 2-3 વખત યોજાશે? : પેપર લીક વિવાદ બાદ સંસદમાં ઉઠ્યો મોટો સવાલ, વિદ્યાર્થીઓને મળી શકે છે મોટી રાહત

કોંગ્રેસે વિલયના સમાચારોને ગણાવ્યા ‘પાયાવિહોણી અફવા’

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ તમામ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે TMCના કોંગ્રેસમાં વિલયના સમાચારો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણી અફવાઓ છે. વેણુગોપાલે જણાવ્યું કે પક્ષના ટોચના નેતાઓ વચ્ચે થયેલી વાતચીતને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ સત્ય નથી.

તો પછી શા માટે થઈ સોનિયા અને મમતાની મુલાકાત?

કે.સી. વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં સોનિયા ગાંધી-મમતા બેનર્જી અને રાહુલ ગાંધી-અભિષેક બેનર્જીની મુલાકાતોનો અસલી હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મુલાકાતો સંપૂર્ણપણે એક સામાન્ય પ્રક્રિયા (રૂટિન બેઠકો) હતી. વેણુગોપાલે ભારપૂર્વક જણાવ્યું કે આ મુલાકાતોનો મુખ્ય હેતુ વિપક્ષને એકજૂથ કરવાનો છે. એક મજબૂત અને સંયુક્ત મોરચો તૈયાર કરીને આ અલોકતાંત્રિક સરકાર સામેની લડાઈને વધુ શક્તિશાળી બનાવવી એ જ આ વાતચીતનો અસલી ઉદ્દેશ્ય હતો."

ડોક્ટર પતિના કાળા કારનામાથી હચમચી ગયું મેડિકલ જગત! : પત્નીની નકલી સહીથી લીધી અઢી કરોડની લોન અને પછી નર્સ સાથે રચી રાસલીલા

અત્રે નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદથી જ TMCની અંદર અસંતોષના અહેવાલો આવી રહ્યા હતા, ત્યારબાદ કેટલાય ધારાસભ્યો અને સાંસદો બળવાખોર બન્યા હોવાની વાતો સામે આવી હતી. આ રાજકીય સંકટ વચ્ચે જ્યારે મમતા બેનર્જી દિલ્હી પહોંચ્યા અને સોનિયા ગાંધીને મળ્યા, ત્યારે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે મમતાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને અભિષેક બેનર્જીને મહાસચિવનું પદ ઓફર કરવામાં આવ્યું છે. જો કે, હવે કોંગ્રેસના સત્તાવાર નિવેદને આ તમામ અટકળો પર સંપૂર્ણપણે વિરામ મૂકી દીધો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે આ મુલાકાતો માત્ર સરકાર વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે હતી, કોઈ વિલય (મર્જર) માટે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now