પહલગામ હુમલા બાદ સતત પાકિસ્તાનને આડેહાથ લેવામાં આવી રહ્યું છે. ત્યારે આ વચ્ચે કાનપુરમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું 'દેશની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પહેલા સર્જિકલ સ્ટ્રાઈક પછી એરસ્ટ્રાઈક અને હવે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય દળોની બહાદુરીને કારણે આજે આખી દુનિયા ભારતની તાકાત અને ક્ષમતાને સ્વીકારી રહી છે.
સેનાએ તેની બહાદુરીનો પરિચય કરાવ્યો
સીએમ યોગીએ કહ્યું કે ભારતની નવી સંરક્ષણ નીતિ હેઠળ દુશ્મન દેશ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો. ભારતીય દળોએ તેમની બહાદુરીનો પરિચય કરાવ્યો અને ભારતના સંરક્ષણને મજબૂત બનાવ્યું. આનાથી વિશ્વને 10 વર્ષ પહેલાં પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયાની શક્તિનો અહેસાસ પણ થયો.
#WATCH | In Kanpur, Uttar Pradesh CM Yogi Adityanath says, "Giving top priority to the security of the country, enemies of the nation were given a reply in the language they understand first through a surgical strike, then airstrike and now through #OperationSindoor. Under the… pic.twitter.com/y8PDqlWOYp
— ANI (@ANI) May 30, 2025
આખી દુનિયાએ ભારતની શક્તિ જોઈ
સીએમ યોગીએ કહ્યું કે આ વખતે આખી દુનિયાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની શક્તિ જોઈ છે. આ આત્મનિર્ભર ભારતનું એક મોટું ઉદાહરણ છે. પીએમનું નિવેદન કે ઓપરેશન સિંદૂર ન્યાયનું શપથ છે તે દરેક ભારતીયની લાગણીઓ અને દેશની દૃઢ નિશ્ચય દર્શાવે છે.
ઘરમાં ઘૂસીને વિનાશ સર્જયો
બીજી તરફ કાનપુરમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતી વખતે મેક ઇન ઇન્ડિયાની વાતનો પણ પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે દુનિયાએ ભારતના સ્વદેશી શસ્ત્રો અને મેક ઇન ઇન્ડિયાની શક્તિ પણ જોઈ છે. આપણા ભારતીય શસ્ત્રો અને બ્રહ્મોસ મિસાઇલે દુશ્મનના ઘરમાં ઘૂસીને વિનાશ મચાવ્યો છે. જ્યાં લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.






