Thai Cargo Ship Attacked: હોર્મુઝ સ્ટ્રેટમાં બુધવારે થાઈ ધ્વજવાળા કાર્ગો જહાજ પર હુમલો થયો હતો. ગુજરાત તરફ જઈ રહેલા જહાજ પર કોઈ અજાણ્યા ગોળાનો હુમલો થયો હતો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. આ વિસ્તારમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
શું છે ઘટનાની વિગતો?
મિડિલ ઈસ્ટના અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં બુધવારે આ હુમલો થયો હતો. આ જહાજ ગુજરાતના બંદર તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેના પર અજાણ્યા હથિયારથી પ્રહાર કરવામાં આવ્યો. હુમલાના કારણે જહાજમાં આગ ફાટી નીકળી હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 20 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
જહાજની ઓળખ અને સ્થાન
શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ જહાજની ઓળખ 'મયૂરી નારી' (Mayury Naree) તરીકે થઈ છે. આ ઘટના ઓમાનના ઉત્તરી તટથી લગભગ 11 નોટિકલ માઈલ દૂર બની હતી. થાઈલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે જહાજ પર કુલ 23 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી 20ને બચાવી લેવાયા છે, જ્યારે 3 લોકો હજુ પણ ત્યાં હાજર છે.
તપાસ અને સુરક્ષા
દરિયાઈ સૂત્રોના જણાવ્યા મુજબ, જહાજને થયેલા નુકસાન અંગે હજુ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતા જ ઓમાની નેવીએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. રોયલ થાઈ નેવી અને યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન (UKMTO) એ પુષ્ટિ કરી છે કે 11 માર્ચના રોજ આ હુમલો થયો હતો. આ જહાજ 'પ્રેશિયસ શિપિંગ' કંપનીની માલિકીનું છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સ્થિતિ ગંભીર છે. હજુ સુધી કોઈ પણ દેશ કે સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
નોંધનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટની વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જ્યાં આ પ્રકારની ઘટના આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે.



















