રોહિત શર્મા અને વિરાટ કોહલીના રીટાયર્ડમેન્ટ:
ભારતે T20I વર્લ્ડ કપ 2024 જીત્યા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, ભારતની T20I ટીમમાં ગણા મોટા ફેરફારો જોવા મળ્યા. સૂર્યકુમાર યાદવને ભારતની T20I ટીમનો કપ્તાન બનાવામાં આવ્યો. આ સાથે, ટીમમાં ગણા નવા ખિલાડીઓને તક આપવામાં આવી અને રિંકુ સિંહ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું. પરંતુ વિરાટ અને રોહિતની નિવૃત્તિ પછી, ગણા ખેલાડીઓ છે જેમણે ખુબ રન ફટકાર્યા છે.
T20I માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પહેલા પણ ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત હતી અને T20Iમાંથી આ ખિલાડીઓની નિવૃત્તિ પછી પણ ટીમ પાસે હજુ પણ ગણા મજબૂત ખેલાડીઓ છે. અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીયમાં ગણા રન બનાવી રહ્યો છે. આ સાથે, તે T20I વર્લ્ડ કપ 2024 પછી સૌથી વધુ રન બનાવનાર ખિલાડી છે.
ભારતીય T20I ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ પછી 14 મેચમાં 258 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. T20I વર્લ્ડ કપ 2024 પછી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સૂર્યકુમાર પાંચમા ક્રમે છે.

આ યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ ચોથા ક્રમે છે. પંડ્યાએ 13 ઇનિંગ્સમાં 35.55 ની સરેરાશથી 320 રન બનાવ્યા છે, જેમાં પંડ્યાએ એક અડધી સદી પણ ફટકારી છે.

ભારતીય યુવા ખિલાડી તિલક વર્મા આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તિલક વર્માએ 9 ઇનિંગ્સમાં 82.60 ની સરેરાશથી 413 રન બનાવ્યા છે. તિલક વર્માએ આ નવ ઇનિંગ્સમાં બે શતક અને એક અર્ધ શતક સામેલ છે.

સંજુ સેમસન 16 ઇનિંગ્સમાં 487 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. સેમસનએ આ ઇનિંગ્સમાં ત્રણ શતક અને એક અર્ધ શતક બનાવી ચુક્યો છે.
અભિષેક શર્મા T20 ક્રિકેટમાં ભારતનો શ્રેષ્ઠ ખિલાડી તરીકે ઉભરી રહ્યો છે. અભિષેકે 16 ઇનિંગ્સમાં 535 રન બનાવ્યા છે. અભિષેક શર્માનો સરેરાશ 33.43 અને સ્ટ્રાઇક રેટ 193.84 છે. અભિષેકે બે શતક બનાવ્યા છે.






















