Asia Cup 2025: એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં શરૂ થવા જઈ રહ્યો છે. પહેલી મેચ 9 સપ્ટેમ્બરે રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની ટીમ શું હશે તે એક મોટો પ્રશ્ન છે. અત્યાર સુધી BCCI એ એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. જાણો કઈ તારીખે ટીમની જાહેરાત કરવામાં આવશે અને મેનેજમેન્ટ કયા ખેલાડીઓને લઈને ચિંતિત છે?
હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ
IPL દરમિયાન, સૂર્યકુમાર યાદવને હર્નિયાની સમસ્યા હતી. સુર્યકુમાર યાદવે તેના માટે સર્જરી કરાવવી પડી હતી. સર્જરી પછી, સૂર્યકુમાર યાદવ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, સૂર્યકુમારે નેટ્સમાં પણ બેટિંગ શરૂ કરી દીધી છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા પણ તૈયારી કરી રહ્યો છે. હવે પસંદગીકારો બંનેના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, આ પછી જ એશિયા કપ 2025 માટે ટીમની જાહેરાત કરવામાં આવશે.
શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ
ઈંગ્લેન્ડમાં રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ત્યારબાદ પસંદગીકારો એશિયા કપ 2025માં ગિલ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે, તેને ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. બીજી તરફ, બધાની નજર જસપ્રીત બુમરાહ પર પણ રહેશે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે, બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત 3 મેચ રમી શક્યો હતો. આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ છે કે શું બુમરાહ સંપૂર્ણપણે ફિટ છે અને એશિયા કપ માટે હાજર છે?
આ દિવસે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 કે 20 ઓગસ્ટે થઈ શકે છે. આ અંગે મુંબઈમાં BCCIના કેટલાક અધિકારીઓ અને પસંદગીકારો વચ્ચે બેઠક થશે. બેઠક પછી ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. જો સૂર્યકુમાર યાદવ સંપૂર્ણપણે ફિટ થઈ જશે, તો ફરી એકવાર આ ખેલાડી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે.





















