ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી, જેમાં ઈંગ્લેન્ડની સામે 5 મેચોની ટેસ્ટ શ્રૃંખલામાં ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ને 2-2 ની બરાબરી કરીને આ શ્રૃંખલાને ડ્રૉ કરી હતી. જેમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક વિજય બાદ ભારતીય ટીમે કેવું પ્રદર્શન કર્યું, ક્યાં ખેલાડીનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું અને ભારતીય ટીમની આ શ્રૃંખલા કેવી રહી તે જાણો?
ઓપનિંગમાં કેવું રહ્યું પ્રદર્શન?
ભારતીય ટીમની ઓપનિંગ કરવા યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલે કરી છે. 5 મેચોમાં આ બંને ખેલાડીએ ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલ એક આક્રમક બેટિંગ કરતો હોય છે. અને બીજી તરફ કે. એલ. રાહુલ જે દિવાલની જેમ સ્ટ્રોંગ ડિફેન્સ કરતો હોય છે. યશસ્વીએ આ શ્રૃંખલામાં 10 ઈનિંગમાં બેટિંગ કરી હતી. જેમાં તેને 411 રન બનાવ્યા હતા, જે 2 શતક અને 2 અર્ધ શતક ફટકાર્યા. અને બીજી તરફ કે. એલ. રાહુલએ આ શ્રૃંખલામાં 10 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં તેને 532 રનમાં બનાવ્યા હતા, જે 2 શતક અને 2 અર્ધ શતક ફટકાર્યા. આ બંને ખેલાડીએ મળીને ખુબ શાનદાર પ્રદર્શન બતાવ્યું છે.
નંબર-3 સાઈ સુદર્શન/ કરુણ નાયર

સાઈ સુદર્શને આ શ્રૃંખલામાં 3 મેચ રમવા મળી, જેમાં તેને 6 ઈનિંગમાં બેટિંગ કરી હતી. 140 રન બનાવ્યા, જેમાં 1 અર્ધ શતક છે. અને કરુણ નાયર 4 મેચ રમી હતી અને 8 ઈનિંગમાં બેટિંગ કરી હતી. જેમાં તેને 205 રન કર્યા, જેમાં 1 અર્ધ શતક સામેલ છે. સાઈ સુદર્શન અને કરુણ નાયર બંનેની પાસે એક સારી તક હતી. તે પોતાનું સ્થાન ટીમમાં નક્કી કરે પરંતુ કોઈ સારું પ્રદર્શન ન કરી શક્યું. સુદર્શનની ઉંમરને ધ્યાનમાં રાખીને, તેને ભવિષ્યમાં તક મળી શકે છે, પરંતુ 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા કરુણ નાયરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સીરિઝ પણ હોઈ શકે છે.
શુભમન ગીલ અને રિષભ પંત

ગીલ અને પંત ટીમ માટે ખૂબ મહત્વના સાબિત થયા છે. ગીલની કપ્તાન તરીકેની આ પ્રથમ શ્રૃંખલા હતી. જેમાં તે no.4 પર બેટિંગ કરવા આવ્યા તેમાં 754 રનમાં 4 શતક સામેલ છે. અને બીજી તરફ પંતે આ શ્રૃંખલામાં ઈજાને કારણે 7 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં 479 રન બનાવ્યા જેમાં તેને 2 શતક અને 3 અર્ધ શતક ફટકાર્યા હતા. રિષભ પંત ઓસ્ટ્રેલિયા અને IPLમાં ખરાબ પ્રદર્શનના બાદ ઈંગ્લેન્ડમાં બેટથી મહત્ત્વપૂર્ણ રન બનાવ્યા. પંતની ઈજાને કારણે જુરેલે વિકેટકીપિંગ કરી હતી જેમાં તેનું પ્રદર્શન પણ ખુબ શાનદાર હતું.
રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર

જ્યારે ટીમને નીચેના ક્રમમાં બેટિંગની જરૂરિયાત હોય ત્યારે જાડેજા અને સુંદરે રન બનાવીને ટીમને મદદ કરી છે. જાડેજાએ 10 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં 516 રન ફટકાર્યા છે જેમાં 1 શતક અને 5 અર્ધ શતક સામેલ છે. સુંદરની વાત કરીએ તો, 8 ઈનિંગમાં બેટિંગ કરી, જેમાં 1 શતક અને 1 અર્ધ શતકની મદદથી 284 રન બનાવ્યા છે. અને બોલિંગમાં જાડેજા અને સુંદરે 7 વિકેટ મેળવી હતી.
મોહમ્મદ સિરાજ

આ ખેલાડીની જેટલી વાત કરીએ એટલી ઓછી છે કેમ કે, સિરાજ એક ફાસ્ટ બોલર છે જેને BGT અને એન્ડરસન-તેંડુલકરની એક પણ મેચ ગુમાવી નથી . 2024 ની BGT 5 મેચોની 10 ઈનિંગમાં 157.1 ઓવર નાખી છે. જેમાં 29 મેડન ઓવરની સાથે 20 વિકેટ લીધી હતી. અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 5 મેચોની 9 ઈનિંગમાં 185.3 ઓવર નાખી છે. જેમાં 26 મેડન ઓવરની સાથે 23 વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ ક્રિષ્ના/ આકાશ દીપ

આ ત્રણે ખેલાડીઓ ભારતીય ટીમ માટે ખુબ મહેનત કરી છે બુમરાહએ 5 ઈનિંગમાં 119.4 ઓવર નાખી છે. જેમાં 21 મેડન ઓવરની સાથે 14 વિકેટ લીધી હતી. ક્રિષ્નાએ 6 ઈનિંગમાં 105 ઓવર નાખી છે. જેમાં 7 મેડન ઓવરની સાથે 14 વિકેટ લીધી હતી. આકાશ દીપ 6 ઈનિંગમાં 109.1 ઓવર નાખી છે. જેમાં 13 મેડન ઓવરની સાથે 13 વિકેટ લીધી હતી. જે ટીમ માટે અગત્યની વિકેટો લીધી હતી.
ક્યાં ક્યાં ખેલાડીઓ થયા ફેલ?
સાઈ સુદર્શન અને કરુણ નાયર આ બંને ખેલાડીઓનું પ્રદર્શન જોઈએ તેવું રહ્યું નથી.





















