હિંદુ ધર્મમાં તુલસીનો છોડ અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેને મા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે અને દરેક ઘરમાં શ્રદ્ધાપૂર્વક લગાવવામાં આવે છે. પરંતુ ક્યારેક તુલસીના બીજને કારણે છોડ વધુ પડતો ફેલાઈ જાય છે, જેથી મચ્છર કે સાપનો ડર લાગવા લાગે છે. આવી સ્થિતિમાં તુલસીને ઉખાડી ફેંકવી કે નહીં, આને લઈને ઘણા લોકો મુંઝવણમાં પડી જાય છે. વૃંદાવનના પ્રસિદ્ધ પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજએ આ સવાલનો સરળ અને શ્રદ્ધાપૂર્ણ ઉકેલ આપ્યો છે.
એક મહિલા ભક્તએ મહારાજજીને પૂછ્યું કે, "ઘરના આંગણમાં તુલસીજી ખૂબ ફેલાઈ જાય છે, જેથી મચ્છર અને સાપનો ડર રહે છે. આવામાં શું કરવું?"મહારાજજીએ સરળતાથી જવાબ આપતાં કહ્યું કે, ઘરમાં જંગલ કે સાપ જેવું વાતાવરણ ન બને તે માટે તુલસીને અલગ ગમલામાં રાખવી જોઈએ. જો તુલસીના બીજ ફેલાઈને આંગણમાં અનેક જગ્યાએ નવા છોડ ઉગી નીકળે, તો તેને ઉખાડીને ફેંકવા નહીં, પરંતુ શ્રદ્ધાથી અન્ય કોઈ ઘરમાં આપી દેવા જોઈએ, જ્યાં તેને લગાવવાની ઇચ્છા હોય.
મહત્વનું છે કે,જો કોઈ લેનાર ન મળે તો તુલસીના છોડ કે બીજને સુરક્ષિત અને સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરી દેવા જોઈએ, જ્યાં કોઈને તકલીફ ન પડે. પરંતુ ઘરમાં એક ગમલામાં તુલસીનું વિધિવત પૂજન અને સંભાળ જરૂર રાખવી જોઈએ. આથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે અને અનાવશ્યક તકલીફોથી બચાવ થાય છે.
તુલસીનું મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર, જ્યાં શ્રદ્ધા અને નિયમથી તુલસીનું પૂજન થાય છે, ત્યાં સુખ-સમૃદ્ધિ, સકારાત્મક ઊર્જા અને માનસિક શાંતિ રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે અને તુલસી વગર તેમનો ભોગ અધૂરો માનવામાં આવે છે. તુલસીના નિયમિત દર્શનથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે અને તણાવ ઓછો થાય છે.પ્રેમાનંદ મહારાજનો આ ઉપાય શ્રદ્ધા અને વ્યવહારુતાનું સુંદર સંતુલન દર્શાવે છે.





















