સનાતન ધર્મમાં હનુમાનજીને કળિયુગના સૌથી જાગૃત અને શીઘ્ર ફળ આપનારા દેવતા માનવામાં આવે છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અને જીવનના સંકટો દૂર કરવા માટે બજરંગબલીની આરાધના કરે છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી હનુમાન ચાલીસાનો મહિમા અપરંપાર છે. એવું માનવામાં આવે છે કે જે સાધક સાચા મનથી અને પૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેના પર હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે આ પાઠ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.
ભય અને રોગમાંથી મુક્તિ
હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં જણાવ્યા મુજબ જે વ્યક્તિ નિયમિત આ પાઠ કરે છે તેની નજીક કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિઓ કે ભય આવતો નથી. ભૂત પિશાચ જેવી બાધાઓ માત્ર હનુમાનજીનું નામ લેવાથી દૂર થઈ જાય છે. આ ઉપરાંત લાંબા સમયથી બીમારીથી પીડાતા લોકો માટે પણ આ પાઠ રામબાણ ઈલાજ સમાન છે. ચાલીસામાં સ્પષ્ટ લખ્યું છે કે હનુમાનજીના નામનું નિરંતર રટણ કરવાથી રોગ અને પીડામાંથી મુક્તિ મળે છે.
ગ્રહ દોષનું નિવારણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શનિ અથવા મંગળ ગ્રહ ભારે હોય અથવા અશુભ ફળ આપી રહ્યા હોય તેમના માટે હનુમાન ચાલીસા શ્રેષ્ઠ ઉપાય છે. શનિવારના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને ચાલીસાનો પાઠ કરવાથી સાડા સાતી અને ઢૈય્યા જેવી પનોતીમાં પણ રાહત મળે છે. આ પાઠ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસનો સંચાર થાય છે.
વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે લાભદાયી
હનુમાનજીને જ્ઞાન અને ગુણના સાગર કહેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ જો નિત્ય આ પાઠ કરે તો તેમની સ્મરણ શક્તિ અને બુદ્ધિમાં વધારો થાય છે. વેપારમાં આવતી અડચણો દૂર કરવા અને જીવનમાં સ્થિરતા લાવવા માટે પણ આ પાઠ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. અહીં શ્રદ્ધાળુઓ માટે શ્રી હનુમાન ચાલીસાના સંપૂર્ણ પાઠ પ્રસ્તુત છે.
શ્રી હનુમાન ચાલીસા
દોહા શ્રીગુરુ ચરન સરોજ રજ , નિજમન મુકુરુ સુધારિ | બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયક ફલ ચારિ || બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર | બલ બુધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર ||
ચોપાઈ જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ||
રામ દૂત અતુલિત બલ ધામા | અંજનિ-પુત્ર પવનસુત નામા ||
મહાબીર બિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન બિરાજ સુબેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ||
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજે | કાંધે મૂંજ જનેઉ સાજે ||
શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહા જગ વંદન ||
બિદ્યાવાન ગુની અતિ ચાતુર | કાજ કરિબે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ||
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | બિકટ રૂપ ધરિ લંક જરાવા ||
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર કે કાજ સંવારે ||
લાય સજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હી બહુત બડાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈં ||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા | નારદ શારદ સહિત અહીસા ||
જમ કુબેર દિગપાલ જહાં તે | કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ||
તુમ્હરો મંત્ર બિભીષન માના | લંકેશ્વર ભએ સબ જગ જાના ||
જુગ સહસ્ર જોજન પર ભાનુ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રચ્છક કાહૂ કો ડર ના ||
આપન તેજ સમ્હારો આપૈ | તીનોં લોક હાંક તેં કાંપૈ ||
ભૂત પિશાચ નિકટ નહિં આવૈ | મહાબીર જબ નામ સુનાવૈ ||
નાસૈ રોગ હરે સબ પીરા | જપત નિરન્તર હનુમત બીરા ||
સંકટ તેં હનુમાન છુડાવૈ | મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા | તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઈ અમિત જીવન ફલ પાવૈ ||
ચારોં જુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ||
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ||
અષ્ટસિદ્ધિ નૌ નિધિ કે દાતા | અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જનમ જનમ કે દુખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિભક્ત કહાઈ ||
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઈ સર્બ સુખ કરઈ ||
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ||
જય જય જય હનુમાન ગોસાઈં | કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં ||
જો સત બાર પાઠ કર કોઈ | છૂટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા | કીજૈ નાથ હૃદય મહં ડેરા ||
દોહા પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ | રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ ||





















