Home International Self Reliance Is Now Necessary In Very Important Minerals

'ખુબ અગત્યના ખનીજોમાં હવે આત્મનિર્ભરતા જરૂરી' : '11 વર્ષમાં સૌર ઉર્જામાં 30 ગણો વધારો'

'ખુબ અગત્યના ખનીજોમાં હવે આત્મનિર્ભરતા જરૂરી'
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 03:13 AM IST

79મા સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતાં સંરક્ષણ, ટેકનોલોજી, મહત્વપૂર્ણ ખનિજ અને ઉર્જા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા તરફના પ્રયત્નો પર ભાર મુક્યો.

સંરક્ષણમાં આત્મનિર્ભરતા
મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતાના આધારે ભારતની સેના અટક્યા વિના પોતાનું કામ કરતી રહી છે. "અમે સંરક્ષણમાં આત્મનિર્ભરતાના લક્ષ્ય સાથે આગળ વધ્યા અને તેના પરિણામો હવે દેખાવા લાગ્યા છે," એમ તેમણે જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે 21મી સદી ટેકનોલોજી આધારિત છે અને ટેકનોલોજીમાં નિપૂર્ણતા મેળવનારા દેશો જ શિખર પર પહોંચે છે.

મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા
પીએમ મોદીએ જણાવ્યું કે સંરક્ષણ, ટેકનોલોજી અને તબીબી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ખનિજોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ દિશામાં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ મિશન શરૂ કરાયું છે. અમે સમુદ્રમંથન શરૂ કર્યું છે અને દેશના 1200થી વધુ સ્થળોએ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.

ઉર્જા ક્ષેત્રમાં સિદ્ધિઓ
પીએમ મોદીએ જણાવ્યું કે 11 વર્ષમાં સૌર ઉર્જામાં 30 ગણો વધારો થયો છે. “અમે નવા બંધ બનાવી રહ્યા છીએ જેથી જળવિદ્યુતનો વિસ્તાર થઈ શકે અને સ્વચ્છ ઉર્જા મેળવી શકાય,” એમ તેમણે કહ્યું. ગ્રીન હાઇડ્રોજન માટે રોકાણ તેમજ પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં 10 રિએક્ટર ઝડપી ગતિએ કામ કરી રહ્યા છે અને 2047 સુધી પરમાણુ ઉર્જામાં 10 ગણો વધારો કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.

‘વોકલ ફોર લોકલ’ને બનાવો રાષ્ટ્રીય મંત્ર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષો અને નેતાઓને સંદેશ આપ્યો કે ‘વોકલ ફોર લોકલ’ કોઈ એક પક્ષનો એજન્ડા નથી, પરંતુ સમગ્ર દેશનો છે. મોદીએ કહ્યું, “ભારત બધાનું છે. ચાલો આપણે ‘વોકલ ફોર લોકલ’ને બધા ભારતીયોનો મંત્ર બનાવીએ. આપણે ફક્ત તે જ વસ્તુઓ ખરીદવી જોઈએ જે ભારતના લોકોના પરસેવામાંથી બનેલી હોય અને જેમાં આપણા લોકોની મહેનતની સુગંધ હોય. દેશ થોડા જ સમયમાં બદલાઈ જશે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?