દુબઈ: સાઉદી અરેબિયાએ સરહદ પર પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને સરહદી વિસ્તારોમાં સતત ગોળીબાર પર ચિંતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે બંને દેશોને તણાવ ઓછો કરવા વધુ તણાવ ટાળવા અને રાજદ્વારી માધ્યમથી વિવાદોનો ઉકેલ લાવવા હાકલ કરી છે.
Ministry of Foreign Affairs of the Kingdom of Saudi Arabia posts on 'X': "The Kingdom of Saudi Arabia expresses its concern over the escalating tensions between the Republic of India and the Islamic Republic of Pakistan..." pic.twitter.com/iCuLyt13sk
— ANI (@ANI) April 30, 2025
એક ટ્વિટમાં સાઉદી વિદેશ મંત્રાલયે ભારત-પાકિસ્તાનને સારા પડોશીના સિદ્ધાંતોને જાળવી રાખીને સ્થિરતા અને શાંતિ તરફ કામ કરવા વિનંતી કરી છે જેથી બંને દેશો અને પ્રદેશના લોકોના હિતોને પૂર્ણ કરી શકાય. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ છે પરંતુ ભારત સાથે તેના સંબંધો પાકિસ્તાન કરતા અનેક ગણા મજબૂત છે. પીએમ મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ મૈત્રીપૂર્ણ સંબંધો છે. પીએમ મોદીની વિનંતી પર સાઉદી અરેબિયામાં સૌથી મોટું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.






