સૈફ અલી ખાનને મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. ભોપાલના છેલ્લા શાસક નવાબ હમીદુલ્લા ખાનની અંગત મિલકત સંબંધિત કેસ અંગે હાઈકોર્ટનો આદેશ જુલાઈમાં આવ્યો હતો. આ આદેશમાં હાઈકોર્ટે અભિનેતા સૈફ અલી ખાન તેમની બહેનો સોહા અને સબા અને માતા શર્મિલા ટાગોરને મિલકતના વારસદાર તરીકે ગણવાના નીચલી કોર્ટના આદેશને ફગાવી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકીને સૈફ અલી ખાનને રાહતના સમાચાર આપ્યા છે.
શું છે આખો મામલો?
ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનનું 1960માં અવસાન થયું હતું. તેમની 3 પુત્રીઓ આબીદા બેગમ સાજીદા સુલતાન અને રાબિયા બેગમ હતી. આબીદા બેગમે 1950માં પાકિસ્તાનને પોતાના દેશ તરીકે પસંદ કર્યું અને ત્યાં ગયા. આ પછી સાજીદા ખાન આ શાહી મિલકતના વારસદાર બન્યા. સાજીદાએ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા. તેમનો પુત્ર મન્સૂર અલી ખાન જેને ટાઇગર પટૌડી તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક પ્રખ્યાત ક્રિકેટર બન્યા. મન્સૂર અલી ખાને શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો થયા. સૈફ અલી ખાન સોહા અલી ખાન અને સબા અલી ખાન. મન્સૂર અલી ખાનના મૃત્યુ પછી સોહા શર્મિલા સૈફ અને સબા અલી ખાન આ મિલકતના માલિક બન્યા.
શત્રુ સંપત્તિ કાયદો 2017 માં રજૂ કરવામાં આવ્યો હતો અને તેની માર્ગદર્શિકા 2018 માં આવી હતી. જે હેઠળ જો કોઈ વ્યક્તિ પાકિસ્તાન જાય છે તો તેની મિલકત શત્રુ સંપત્તિ કાયદા હેઠળ કબજે કરવામાં આવશે. આ બાબતને લઈને 30 જૂને મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક આદેશ જારી કર્યો હતો જેમાં સૈફ અલી ખાન શર્મિલા સોહા અને સબાને આ મિલકત ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો છે.




















