Home National Ram Mandir Donation Theft Case Cctv Footage Missing Sit Probe Ayodhya

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ખુલાસો! : જૂના CCTV ફૂટેજ ગાયબ, માત્ર 45 દિવસનું જ બેકઅપ ઉપલબ્ધ, SITની તપાસ સામે નવી પડકારજનક સ્થિતિ

Ram Mandir Theft Case
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jun 20, 2026, 07:04 AM IST

Ram Mandir Theft Case: અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે જોડાયેલા કથિત દાન ચોરી કેસમાં તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આ મામલે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) છેલ્લા કેટલાય દિવસોથી સતત તપાસ કરી રહી છે, પરંતુ હવે તપાસ એજન્સી સામે ડિજિટલ પુરાવા સંબંધિત ગંભીર પડકાર ઊભો થયો છે. મંદિર પરિસરના CCTV કેમેરાની સ્ટોરેજ સિસ્ટમમાં માત્ર 45 દિવસનું જ બેકઅપ ઉપલબ્ધ હોવાને કારણે ચોરી ક્યારથી શરૂ થઈ અને કેટલા સમય સુધી ચાલી તેનો ચોક્કસ સમયગાળો નક્કી કરવો મુશ્કેલ બની રહ્યો છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, મંદિરના ડિજિટલ સર્વરમાં 45 દિવસથી જૂનો ડેટા આપમેળે ડિલીટ થઈ જાય છે. જેના કારણે અગાઉના મહિનાઓના મહત્વપૂર્ણ પુરાવા હવે ઉપલબ્ધ નથી. આ સ્થિતિએ તપાસને વધુ જટિલ બનાવી દીધી છે અને અનેક સવાલો ઊભા કર્યા છે.

CCTV ફૂટેજ સાથે છેડછાડની આશંકા

SITની પ્રાથમિક તપાસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. ઉપલબ્ધ CCTV ફૂટેજમાં કથિત રીતે છેડછાડ કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો આ આશંકા સાચી સાબિત થાય તો સમગ્ર કેસને નવી દિશા મળી શકે છે. તપાસ અધિકારીઓ હવે ફૂટેજના મૂળ ડેટા, સર્વર લોગ્સ અને અન્ય ડિજિટલ રેકોર્ડની વિગતવાર ચકાસણી કરી રહ્યા છે. ટેકનિકલ ટીમો એ પણ શોધી રહી છે કે કોઈ ફૂટેજ ડિલીટ, એડિટ અથવા ફેરફાર કરવામાં આવ્યો હતો કે નહીં.

આ પણ વાંચો: 11 મહિનામાં સુરક્ષા માટે 10 કરોડ ખર્ચાયા છતાં રામ મંદિરમાં દાનની ચોરી : SIT તપાસમાં અનેક મોટા નામ શંકાના ઘેરામાં, હવે CCTV અને સુરક્ષા અધિકારીઓ પણ તપાસ હેઠળ

ફોરેન્સિક તપાસ પર હવે મોટી આશા

ડિજિટલ પુરાવાઓની વિશ્વસનીયતા ચકાસવા માટે SITએ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ઉપલબ્ધ ડેટાને ફોરેન્સિક લેબમાં મોકલી તેની વિશેષ તપાસ કરવામાં આવશે. તકનીકી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો છેલ્લા 45 દિવસની અંદર કોઈપણ પ્રકારની ડિલીટ, એડિટિંગ અથવા ડેટા સાથે છેડછાડ કરવામાં આવી હશે તો તેના ડિજિટલ નિશાન ફોરેન્સિક તપાસમાં મળી શકે છે. આ રિપોર્ટ તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

નિવેદનોમાં વિરોધાભાસથી વધ્યું રહસ્ય

મર્યાદિત CCTV પુરાવાઓ વચ્ચે SIT હાલમાં મુખ્યત્વે પૂછપરછ અને માનવ પુરાવાઓ પર આધાર રાખી રહી છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ, હોદ્દેદારો અને અગાઉ શંકાના દાયરામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન અનેક વ્યક્તિઓના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. કોણ શું જાણતું હતું અને ઘટના અંગે કોને કેટલી માહિતી હતી તે અંગે અલગ-અલગ વર્ઝન સામે આવતા તપાસ વધુ જટિલ બની છે.

દાન ચોરીનો સમયગાળો નક્કી કરવો મુશ્કેલ

CCTV બેકઅપ માત્ર દોઢ મહિના સુધી જ ઉપલબ્ધ હોવાના કારણે તપાસ એજન્સી માટે સૌથી મોટો પડકાર ચોરી ક્યારે શરૂ થઈ તેની ચોક્કસ માહિતી મેળવવાનો છે. જો કથિત ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી હોય તો તેના સીધા ડિજિટલ પુરાવા હવે ઉપલબ્ધ નથી. તપાસકર્તાઓ હવે નાણાકીય રેકોર્ડ, દાનની એન્ટ્રીઓ, હિસાબી દસ્તાવેજો અને અન્ય વ્યવહારિક પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ‘SIT તપાસમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે’ : ‘રામભક્તો પર ગોળી ચલાવનાર આજે ઉપદેશ આપે છે’, દાન ચોરી વિવાદ પર બોલ્યા CM યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન

આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી છે. અયોધ્યા મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટની સત્તાવાર વિનંતી બાદ જ રાજ્ય સરકારે SITની રચના કરી છે જેથી સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થઈ શકે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ પ્રકારના રાજકીય નિવેદનો અથવા અનુમાનોથી દૂર રહેવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે SIT ટૂંક સમયમાં સત્ય બહાર લાવશે અને જો કોઈ દોષિત હશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

15 દિવસમાં તપાસ પૂર્ણ થવાની શક્યતા

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર SITને નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી 15 દિવસમાં તપાસનો પ્રાથમિક અહેવાલ તૈયાર થઈ શકે છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ કેસ સંબંધિત દસ્તાવેજી પુરાવા અથવા મહત્વપૂર્ણ માહિતી હોય તો તે સીધી તપાસ એજન્સીને સોંપે, જેથી તપાસ વધુ ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now