Home Gujarat Rajkot Rajkot Bageshwar Dham Event Controversy Police Action Demand

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ‘ભૂત-પ્રેત’ના દાવાઓએ મચાવ્યો હોબાળો : સામાજિક આગેવાનો અને વિજ્ઞાન જાથા મેદાને, કડક કાર્યવાહી કરવાની કરી માંગ

rajkot baba Bageshwar Controversy
Play Video
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 09:38 AM IST

rajkot baba Bageshwar Controversy: રાજકોટમાં તાજેતરમાં યોજાયેલા બાગેશ્વર ધામના દરબારને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોમાં કથિત રીતે ‘ભૂત-પ્રેત’ અથવા ‘ચૂડેલ’નો પ્રભાવ જોવા મળ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવિધ સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને અંધશ્રદ્ધા પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિ ગણાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે ભારત જન વિજ્ઞાન જાથા અને કેટલાક સામાજિક કાર્યકરોએ જાહેર નિવેદનો આપતાં જણાવ્યું છે કે કાર્યક્રમ દરમિયાન જે દૃશ્યો સામે આવ્યા તે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવનારા હોવાનું જણાય છે. તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

પોલીસ ફરિયાદ અને કોર્ટમાં જવાની તૈયારી

ભારત જન વિજ્ઞાન જાથાના રાજકોટ એકમના પ્રતિનિધિ જયંત પંડ્યાએ જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન ડાકિની, શાકિની, પિશાચિની અને ભૂત-પ્રેત સંબંધિત દાવાઓ જાહેરમાં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવશે. જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટના દ્વાર ખખડાવીને કાનૂની લડત પણ લડવામાં આવશે. તેમણે દાવો કર્યો કે, કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોમાં જોવા મળેલી હરકતો માનસિક સ્થિતિ અથવા અન્ય પરિબળોના કારણે હોઈ શકે છે અને તેને અલૌકિક ઘટના તરીકે રજૂ કરવું યોગ્ય નથી.

આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં 20થી વધુ લોકોમાં ભૂત ધૂણ્યા: ધૂણતા ધૂણતા લોકોને મારવા લાગી મહિલા, Video જોઈ ફફડી જશો

પત્રકારો અને ઉપસ્થિત લોકો પર હુમલાના આક્ષેપ

વિવાદ દરમિયાન કેટલાક વીડિયોમાં કથિત રીતે ‘ભૂત ધૂણતા’ ગણાવવામાં આવેલા લોકો દ્વારા ઉપસ્થિત લોકો અને પત્રકારો તરફ આક્રમક વર્તન કરવામાં આવ્યું હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જયંત પંડ્યાએ જણાવ્યું કે જાહેર કાર્યક્રમમાં આવી પરિસ્થિતિ સર્જાવવી અને લોકો પર હુમલા જેવા દૃશ્યો સામે આવવું અત્યંત નિંદનીય બાબત છે. તેમણે કાર્યક્રમના આયોજકોની જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરી છે.

સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન

સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પણ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે પોલીસ દ્વારા સ્વયંપ્રેરિત (સુઓમોટો) કાર્યવાહી થવી જોઈએ અને આ અંગે સત્તાવાર રજૂઆત કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને દૃશ્યોના આધારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. પીપળિયાના જણાવ્યા મુજબ, જો કોઈ ગેરમાર્ગે દોરતી અથવા ભ્રામક પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો તેના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

અંધશ્રદ્ધા સામે જાગૃતિની માંગ

આ સમગ્ર ઘટનાને પગલે રાજકોટમાં ફરી એકવાર અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક સંગઠનોનું કહેવું છે કે સમાજમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને જાગૃતિ વધારવાની જરૂર છે જેથી લોકો ભ્રામક દાવાઓથી દૂર રહી શકે. બીજી તરફ, આ મામલે હજુ સુધી આયોજકો અથવા બાગેશ્વર ધામ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સમગ્ર મામલે પોલીસ શું પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં