બુધવારે પંજાબના મોહાલીમાં એક મોટી દુર્ઘટના બની હતી. અહીં ઓક્સિજન સિલિન્ડર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારના ફેઝ-9 માં સ્થિત પ્લાન્ટમાં થયો હતો. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. ઘટના બાદ પોલીસ સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્ફોટમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને મોહાલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો
આ અંગે મોહાલીના SDM દમનદીપ કૌરે જણાવ્યું હતું કે ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. તેમણે કહ્યું, 'આજે સવારે અમને ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચીને જાણવા મળ્યું કે બે લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યા છે.' તેમણે કહ્યું, 'વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો. પહેલા એક સિલિન્ડર ફૂટ્યો, ત્યારબાદ ચેઇન રિએક્શન થયું અને આસપાસના સિલિન્ડર પણ ફૂટ્યા. બે લોકોના મોત થયા અને ત્રણ ઘાયલ થયા. વધુ તપાસ ચાલુ છે.’
મૃતકો કોણ હતા?
અકસ્માત બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા, પોલીસે તપાસ શરૂ કરી છે. ડીએસપી હરસિમરન સિંહ બાલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ આસિફ અને દેવેન્દ્ર તરીકે થઈ છે.






