પુણે હત્યા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા
પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી સિયા ગોયલને ફરીથી ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. પોલીસના જણાવ્યા મુજબ, તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે સિયા ગોયલ અને સહ-આરોપી ચેતન ચૌધરીએ કથિત રીતે હત્યા પહેલાં તેની પ્રેક્ટિસ પણ કરી હતી. જોકે, આ તમામ બાબતોની તપાસ હજુ ચાલુ છે અને અંતિમ સત્ય કોર્ટમાં પુરાવાના આધારે નક્કી થશે.
સિયાએ કેતનને ધક્કો મારવાની પ્રેક્ટિસ કરી હતી.
સિયાએ લોહાગઢ કિલ્લાની ટેકરી પરથી ધક્કો મારતા પહેલા તેણીએ આ કૃત્ય માટે ખૂબ પ્રેક્ટિસ કરી હતી. સિયાએ તેના બોયફ્રેન્ડ ચેતન સાથે મળીને લુલ્લા નગરની ટેકરી પર કેતનને મારવાનું કાવતરું ઘડ્યું હતું. પુણે પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સિયાના ખુલાસા બાદ, પોલીસ સિયાને તે ટેકરી પર લઈને પહોંચી હતી. સિયાએ તેના બોયફ્રેન્ડ ચેતન સાથે મળીને પુણેના લુલ્લા નગર સેક્ટર નંબર 37 માં ટેકરી પર કેતન અગ્રવાલને ધક્કો મારવાની પ્રેક્ટિસ કરી હતી.
ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું
પોલીસે સિયા ગોયલને ઘટનાસ્થળે લઈ જઈ આખી ઘટનાનું પુનઃનિર્માણ કર્યું. આ પ્રક્રિયાનો હેતુ આરોપીઓના નિવેદનની ચકાસણી કરવાનો અને ઘટના કેવી રીતે બની હતી તે સમજવાનો હતો. તપાસ દરમિયાન સ્થળ પર જરૂરી પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બેંગલુરુ નજીક પથ્થરની ખાણમાં ભૂસ્ખલન | બિહારના 7 શ્રમિકોના મોત; અનેક દટાયા હોવાની આશંકા | Offbeat Stories






