Pune Bridge Collapse: ગઈકાલે દેશના બે રાજ્યોમાં બે મોટા અકસ્માતો થયા. પ્રથમ ઉત્તરાખંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં ઘણા લોકોના મોત થયા. બીજી તરફ, મહારાષ્ટ્રના પુણેમાં માવલ તહસીલના તાલેગાંવ વિસ્તારને અડીને આવેલા કુંડમાલામાં એક જૂનો લોખંડનો પુલ તૂટી પડ્યો, જેમાં ઘણા લોકો તણાઈ ગયા. અકસ્માત સમયે આ પુલ પર લગભગ 200 લોકો હતા તેવો અંદાજ છે. ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ પોતાની આપવીતી વર્ણવી. નિખિલ કોલ્લમ નામના વ્યક્તિ કહે છે કે 'ભગવાનની કૃપા છે કે આપણે સુરક્ષિત છીએ.'
#WATCH | इंद्रायणी नदी पर पुल ढहने की घटना | पुणे | स्वप्निल कोल्लम, जो प्रत्यक्षदर्शी होने का दावा करते हैं, ने कहा, "पुल पर 150-200 से ज़्यादा लोग थे लेकिन जब पुल गिरा तो वहाँ 50 से ज़्यादा लोग थे... भगवान की कृपा है कि मेरा परिवार सुरक्षित है..." pic.twitter.com/Jzw2Pt9Jqu
— ANI_HindiNews (@AHindinews) June 15, 2025
પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી પોતાની આપવીતી
પુણેમાં તાલેગાંવ નજીક ઈન્દ્રાયણી નદીના પુલ પર થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સામે આવ્યા છે. ANI સાથે વાત કરતા ત્યાં હાજર સ્વપ્નિલ કોલ્લમે કહ્યું કે 'પુલ પર 150-200 લોકો હતા પરંતુ જ્યાં પુલ પડ્યો ત્યાં 50થી વધુ લોકો હતા. મારો પરિવાર સુરક્ષિત છે એ ભગવાનની કૃપા છે.' દરમિયાન નિખિલ કોલ્લમ કહે છે કે 'ભગવાન રામની કૃપા છે કે આપણે સુરક્ષિત છીએ.' તેમના પરિવારના બચી જવા અંગે તેમણે કહ્યું કે 'આ અમારો પુનર્જન્મ છે.'
#WATCH | पुणे, महाराष्ट्र | कल तालेगांव के पास इंद्रायणी नदी पर बने पुल ढहने से चार लोगों की मौत हो गई और 51 घायल हो गए।
— ANI_HindiNews (@AHindinews) June 16, 2025
वीडियो घटनास्थल से है। pic.twitter.com/lqs4WhRtPZ
ક્યારે થયો અકસ્માત?
રવિવારે બપોરે 3:15 વાગ્યે અકસ્માત થયો હતો, ત્યારબાદ તરત જ બચાવ ટીમને તેની જાણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર દૂદીએ જણાવ્યું હતું કે 'કુલ 51 લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. 4 લોકોના મોત થયા છે, જેમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં ચંદ્રકાંત સાલ્વે, રોહિત માને અને વિહાનની ઓળખ થઈ ગઈ છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી. અત્યાર સુધીમાં મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે હજુ પણ ગુમ છે.






